________________
૧૨૪
મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૪-૨૫ થાય – મૃદુ અને માર્રવ તે મૃદુમાર્તવ, અને ભાવપ્રધાન નિર્દેશ હોવાથી મૃદુ નો અર્થ થયો કાયનમ્રતા, અને માર્રવ નો અર્થ થયો ભાવનમ્રતા. તે છે આને=કાયનમ્રતા અને ભાવનમ્રતા તે છે આવે, એ પ્રકારે ‘મતુ’ અર્થમાં ‘ૐ’ પ્રત્યય છે. અને ત્યાર પછી ‘મૃદુમાર્વવત્વે’ માં રહેલા ‘ત્વ’ શબ્દને યોજન કરતાં બતાવે છે, તેનો ભાવ=મૃદુમાર્ણવતા નો ભાવ.
તે અર્થમાં=ઉપરમાં બતાવ્યું તે અર્થમાં, ‘મિ’ શબ્દ છે, એ પ્રમાણે એક આચાર્ય કહે છે. બીજા આચાર્ય ‘મૃદુમાર્વવત્વ' નો કર્મધારય સમાસ કરે છે. તે આ પ્રમાણે - ‘મૃદુ’ એવો આ ‘માર્રવ’ તે ‘મૃદુમાર્રવ’, અને તેમાં ‘ત્વ’ પ્રત્યય લગાડવાથી ‘મૃદુમાર્વવત્વ’ પ્રાપ્ત થાય.
--
‘મૃદુ’ એટલે સુકુમાર એવું ‘માર્રવ’ છે જેને, એ ‘મૃદુમાર્રવ’, અને તેનો ભાવ તે ‘મૃત્યુમાર્વવત્વ’ - ત્રીજા આચાર્ય આ રીતે પણ કહે છે.
ભાવાર્થ -
‘મિચ્છાવુવડમ્’ - વાક્યપ્રયોગના પ્રથમ‘મિ’ શબ્દનો અર્થ કરે છે: ‘મિ’શબ્દ મૃદુમાર્દવના અર્થમાં છે અને તેનો સમાસ કઈ રીતે કરવો તે બતાવવા ત્રણ રીતે અહીં સમાસ કરેલ છેઃ
(૧) પ્રથમ સમાસ આ રીતે છે -
-
મૃદુ અને માર્દવ એ બે શબ્દ ભાવ અર્થમાં ગ્રહણ ક૨વાના છે. માટે મૃદુ શબ્દથી ‘મૃદુત્વ’ અને માર્દવ શબ્દથી ‘માર્દવત્વ’ ગ્રહણ કરવાનું છે. ત્યાર પછી તે બેનો બહુવ્રીહિ સમાસ કરવાનો છે. તે આ રીતે પ્રાપ્ત થાય છેઃ મૃદુ અને માર્દવ તે મૃદુમાર્દવ, અને ભાવ અર્થમાં પ્રયોગ હોવાથી મૃદુનો અર્થ કાયનમ્રતા અને માર્દવનો અર્થ ભાવનમ્રતા, અને આ બંને છે જેને, એવી વ્યક્તિ ‘મૃદુમાર્દવ’ શબ્દથી પ્રાપ્ત થાય. આ બહુવ્રીહિ સમાસ ‘મતુ’ અર્થાય ‘અ’ પ્રત્યયથી થયો છે. તેથી એ પ્રાપ્ત થાય કે ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગ કરનાર જીવ કાયનમ્રતા અને ભાવનમ્રતાવાળો છે. ત્યાર પછી ‘મૃદુમાર્દવત્વ’માં રહેલા ‘ત્વ’ પ્રત્યયને યોજન કરતાં કહે છે કે, મૃદુમાર્દવત્વવાળી વ્યક્તિમાં રહેલો જે ભાવ તે ‘મૃદુમાર્દવત્વ’ છે, અને તેથી ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગ કરનાર વ્યક્તિ ‘મિ’ શબ્દ બોલતી વખતે મૃદુમાવત્વ અર્થમાં ઉપયોગ રાખે તો ‘મારે કાયનમ્રતા અને ભાવનમ્રતા’ કરવાની છે,’ તેવો અર્થબોધ થાય.
અહીં વિશેષ એ છે કે, ‘મિચ્છા મિ દુક્કડમ્’ દેતી વખતે કાયાને નમ્ર બનાવીને પ્રયોગ કરવાનો છે અને ભાવને ગુણ તરફ વાળવારૂપ નમ્રતાના પરિણામવાળો બનાવવાનો છે. આ રીતે એક આચાર્યના
મતે અર્થ કર્યો.
(૨) હવે બીજી રીતે સમાસ ખોલતાં કહે છે - મૃદુ એવો આ માર્દવ=મૃદુમાર્દવ. એ પ્રમાણે કર્મધારય સમાસ કરીને ‘ત્વ’ પ્રત્યય લગાડવો એમ ‘મિ’ શબ્દનો અર્થ છે, એ પ્રમાણે બીજા આચાર્યો કહે છે. (૩) હવે ત્રીજી રીતે સમાસ ખોલતાં કહે છે - મૃદુ સુકુમાર એવું માર્દવ છે જેને એ મૃદુમાર્દવ, એનો ભાવ તે મૃદુમાર્દવત્વ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org