SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ મિથ્યાકાર સામાચારી / ગાથા: ૨૨ પ્રમાણે પોતાનો પરિણામ થાય તે રીતે, ઉપયોગપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્'નો પ્રયોગ કરે છે. અને જ્યારે સાધનામાં અનાભોગથી કે સહસાત્કારથી યોગીઓને સ્કૂલના થઈ હોય ત્યારે, પોતાની થયેલી સ્કૂલનાના નાશ માટે “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરે છે અને ઉપયોગપૂર્વકના “મિચ્છા મિ દુક્કડં” પ્રયોગથી તેઓને પોતાની સ્મલનાથી થયેલા અધ્યવસાય કરતાં બલવાન સંવેગનો પરિણામ સ્વઅનુભવસિદ્ધ ઉત્પન્ન થાય છે. આવો સંવેગનો પરિણામ સ્કૂલનાના કારણે થયેલા પાપનો તો અવશ્ય નાશ કરે પણ તેના પ્રકર્ષથી અન્ય પણ ઘણા પાપનો નાશ કરે છે. તેથી ‘મિચ્છા મિ દુક્કડમ્' એ પ્રયોગથી જેમ આજ્ઞા-આરાધન-યોગની પ્રાપ્તિ થાય છે, તેમ તીવ્ર સંવેગરૂપ ફળની પણ પ્રાપ્તિ થાય છે. ઉત્થાન :વળી પાપનાશ માટે અન્ય પ્રયોગ ન કરતાં “ મિચ્છા મિ દુક્કડમ્ જ પ્રયોગ કરવા પાછળનો વિશેષ આશય શું છે ? તે બતાવતાં કહે છે – ટીકાઃ अपुनःकरणसंगत:=“न पुनरकरणीयं करिष्यामि” इति निश्चयसमन्वितः, एष:-उक्तप्रयोगः, अतिविपुलतरनिर्जरार्थं तथाविधप्रयोगान्तरजन्यनिर्जरापेक्षया विशिष्टनिर्जरार्थं, भवति । उक्तं च - "सुद्धेणं भावेणं अपुणकरणसंगएण तिव्वेणं । एवं तक्कम्मखओ” इति ।।२२।। ટીકાર્ય : અપુતઃકરણસંગત “અકરણીય એવું પાપ ફરી હું કરીશ નહિ”- એ પ્રકારના નિર્ણયથી યુક્ત એવો આaઉક્ત પ્રયોગ="મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગ, અતિ વિપુલ નિર્જરા માટે તેવા પ્રકારના પ્રયોગાતરથી જવ્ય નિર્જરાની અપેક્ષાએ વિશિષ્ટ નિર્જરા માટે, થાય છે. અને તેમાં ‘ઉત્ત ’ થી સાક્ષી આપે છે - “ફરી નહિ કરવાના પરિણામથી યુક્ત એવા તીવ્ર શુદ્ધ ભાવ વડે કરીને આ રીતે='મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરીએ એ રીતે, તે કર્મનો-પાપસેવનથી થયેલા કર્મનો, ક્ષય થાય છે.” તિ પંચાશકના ઉદ્ધરણ પછીનું ‘ત્તિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. રા. ભાવાર્થ: ફરી હું આ પાપ નહિ કરું” એવા નિર્ણયથી યુક્ત કોઈ વ્યક્તિ “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગ કરે તો અવશ્ય વિશિષ્ટ નિર્જરાની પ્રાપ્તિ થાય છે, પરંતુ “મિચ્છા મિ દુક્કડમ્' ને બદલે કોઈ અન્ય પ્રયોગ કરે તો તે પ્રયોગથી તેવી વિશિષ્ટ નિર્જરા થાય નહિ; તેથી નિશ્ચયનય “મિચ્છા મિ દુક્કડમ્' એ પ્રયોગને જ મિથ્યાકાર સામાચારીરૂપે સ્વીકારે છે, અન્ય પ્રયોગને નહિ. એ પ્રકારનો ખુલાસો જે પૂર્વ ગાથા-૨૧માં કરેલ તેની સાથે આ કથનનો સંબંધ છે.llરરા १. शुद्धेन भावेनापुनःकरणसंगतेन तीव्रेण । एवं तत्कर्मक्षयः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy