SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાકાર સામાચારી | ગાથા : ૨૨ ૧૧૭ કહેનારા અન્ય પ્રયોગથી પ્રાયઃ પાપ નાશ પામતું નથી. માટે અતિચર્ચાથી સર્યું અર્થાત્ આટલી ચર્ચાથી સિદ્ધ થાય છે કે, ‘મિચ્છા મિ દુક્કડમ્' એ પ્રકારના પ્રયોગથી ઉપયોગ પરિપૂર્ણ થાય છે, અન્ય પ્રયોગથી નહિ. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગથી આજ્ઞા-આરાધન-યોગ થાય છે. હવે ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગથી બીજું શું પ્રાપ્ત થાય છે તે બતાવે છે – ટીકા ઃ पुनस्तीव्र:- मिथ्याचाराध्यवसायापेक्षयाऽधिकतरः, संवेगः - भववैराग्यात्मा स्वसंवेदनसिद्धः समुज्जीवति, योगिनां हि ज्ञानं संवेगफलमेवेति ટીકાર્ય :- - વળી દિ=જે કારણથી યોગીઓનું જ્ઞાન સંવેગળવાળું જછે, એથી કરીને તીવ્ર=મિથ્યાચારના સેવનકાળમાં થયેલા અધ્યવસાયની અપેક્ષાએ અધિકતર, ભવવૈરાગ્યરૂપ સંવેગ ‘મિચ્છા મિ દુક્કડં’ના પ્રયોગથી સ્વસંવેદનસિદ્ધ ઉત્પન્ન થાય છે. ઉત્થાન : ટીકા ઃ ટીકાર્થ યોગીઓનું જ્ઞાન સંવેગફળવાળું જ છે, તેમાં સાક્ષી આપતાં કહે છે – यदाह परिणतजिनप्रवंचनतत्त्वः श्रीहरिभद्रसूरिः ‘સો તે અત્થનાળમિ' કૃતિ । : જે કારણથી જિનપ્રવચનમાં પરિણત તત્ત્વવાળા, શ્રી હરિભદ્રસૂરિ કહે છે - “આસંવેગ, તેના=‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગના, અર્થજ્ઞાનમાં થાય છે.” ‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ભાવાર્થ - ‘પુનસ્તીવ્રઃ થી ગત્થનામિ' કૃતિ । સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે ઃ યોગીઓ હંમેશાં અત્યંત મોક્ષના અર્થી હોય છે અને તેથી તેઓ જે કંઈ પણ પ્રવૃત્તિ કરે તેમાં જ્ઞાનનો ઉપયોગ સમ્યગ્ પ્રવર્તાવીને કરે છે. તેથી તેઓ ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગના અર્થને બરાબર ધારીને, તે અર્થ ૨. પશ્ચા૦ ૧૨-૧૧, ૫ તસ્યાર્થજ્ઞાને || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy