________________
૧૧૬
મિથ્યાકાર સામાચારી/ ગાથા: ૨૨ કરવાથી પૂર્ણ થાય છે, અન્ય પ્રયોગથી નહીં, એમ તે વ્યક્તિ જાણે છે. તેથી તે પ્રયોગ ન કરવો જોઈએ.
અહીં કોઈને પ્રશ્ન થાય કે, “આ મારું પાપ મિથ્યા છે એમ જાણીને” “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરવાને બદલે તે અર્થને કહેનાર અન્ય પ્રયોગ કરવામાં આવે તો પણ પાપ પ્રત્યેની જુગુપ્સાને કારણે પાપનાશની પ્રાપ્તિ થવી જોઈએ, તો પછી “મિચ્છા મિ દુક્કડમ્ના પ્રયોગથી પાપ નાશ થાય છે, અન્ય પ્રયોગથી નહિ, તેમ કેમ કહી શકાય ?
તેથી ગ્રંથકાર કહે છે કે, “આ મિથ્યા છે એમ જાણીને “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરવો” એ કથનમાં વાક્યર્થના જ્ઞાનપૂર્વકનું અભિધાન છે; કારણ કે, મારું પાપ મિથ્યા છે, એમ જાણીને “
મિચ્છા મિ દુક્કડમ્... દેવાનું છે, પરંતુ મારું પાપ મિથ્યા છે, એમ જાણ્યા વગર “મિચ્છા મિ દુક્કડમ્' આપવાનું નથી, અને વાક્યર્થજ્ઞાનપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્' આપવાનું કથન ઉપલક્ષણથી અક્ષરાર્થજ્ઞાનપૂર્વક આપવાનું જણાવે છે; કારણ કે, અક્ષરાર્થની આવશ્યકતા ન હોય તો પંચાશક ગ્રંથમાં “આ મિથ્યા છે એમ જાણીને “મિચ્છા મિ દુક્કડમ્ દેવું” એમ જે કહ્યું, ત્યાં “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યના દરેક અક્ષરના અર્થ કહેવાનું કોઈ પ્રયોજન નથી, તેમ માનવાનો પ્રસંગ આવે. જો અક્ષરાર્થની કોઈ ઉપયોગિતા ન હોય તો તેનું કથન આગળ કરવું જોઈએ નહિ. પરંતુ “
મિચ્છા મિ દુક્કડમ્' વાક્યના દરેક અક્ષરનો અર્થ ‘પંચાશક' ગ્રંથમાં આગળ ગ્રંથકારે સ્વય કર્યો છે. તેથી નિર્જરા માટે જેમ “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યના અર્થનું જ્ઞાન આવશ્યક છે, તેમ “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યના દરેક અક્ષરના અર્થનું જ્ઞાન પણ આવશ્યક છે, અને જે વ્યક્તિ વાક્યર્થ અને અક્ષરાર્થ બન્નેના ઉપયોગપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્' આપે તો અવશ્ય તેના પાપનો નાશ થાય છે.
હવે જો “મિચ્છા મિ દુક્કડમ્” ને બદલે વિતર્થ છે સુરાવરિત પ્રયોગ કરવામાં આવે અથવા ‘મિથ્યા છે સુકૃતમ્' પ્રયોગ કરવામાં આવે તો “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં બતાવેલા અક્ષરાર્થજ્ઞાનની ઉપસ્થિતિ તે અન્ય પ્રયોગથી થઈ શકે નહિ. તેથી પોતાના થયેલા પાપના નાશરૂ૫ ફળની પ્રાપ્તિ પ્રાયઃ અન્ય પ્રયોગ દ્વારા થાય નહિ.
તેથી એ ફલિત થાય કે, “ત' શબ્દથી પોતાના દુષ્કતનો પરામર્શ કરીને “આ મારું દુષ્કૃત મિથ્યા છે” એમ ઉપયોગપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ કરવાથી આજ્ઞા-આરાધન-યોગ થાય છે અને તે ઉપયોગમાં વાક્યર્થજ્ઞાન અને અક્ષરાર્થજ્ઞાન આવશ્યક છે.
અહીં પ્રશ્ન થાય કે, ગ્રંથકારે આગળમાં “મિચ્છા મિ દુક્કડમ્' વાક્યના દરેક અક્ષરના અર્થ ન કર્યા હોત તો શું વાંધો આવત?
તેથી કહે છે –
“મિચ્છા મિ દુક્કડમુના વાક્યર્થજ્ઞાન અને અક્ષરાર્થજ્ઞાનપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્' કરવાથી પાપનાશને અનુકૂળ એવો ઉપયોગ પૂર્ણ થાય છે. જો અક્ષરાર્થજ્ઞાન ન હોય અને માત્ર વાક્યર્થજ્ઞાન હોય તો ઉપયોગ પૂર્ણ થતો નથી, અને અપૂર્ણ ઉપયોગ દ્વારા પાપ નાશ થઈ શકે નહિ. તેથી “મિચ્છા મિ દુક્કડમ્'ને છોડીને તે અર્થને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org