SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ મિથ્યાકાર સામાચારી / ગાથા: ૨૨ વાક્યર્થજ્ઞાનપૂર્વકત્વતા અભિધાનનું અક્ષરાર્થજ્ઞાનપૂર્વકત્વનું ઉપલક્ષણપણું હોવાથી ઉપયુક્તપણાવડે કરીને “ મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગ જ ઈષ્ટનું સાધન છે (અન્ય પ્રયોગ નહિ), એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે, વાક્યર્થજ્ઞાનપૂર્વકત્વના અભિધાનનું અક્ષરાર્થજ્ઞાનપૂર્વકત્વનું ઉપલક્ષણપણું છે, તેમ માનવાની શી જરૂર છે? તેથી કહે છે – અન્યથા=વાક્યાર્થજ્ઞાનપૂર્વકત્વના અભિધાનનું અક્ષરાર્થજ્ઞાનપૂર્વકત્વનું ઉપલક્ષણપણું સ્વીકારવામાં ન આવે તો, આગળમાં મિથ્થાકાર સામાચારીને કહેનારા પંચાશકના કથનના આગળના ભાગમાં, તેના અભિધાનનો='મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગના અક્ષરાર્થના કથનનો, અતિપ્રયોજનપણાનો પ્રસંગ પ્રાપ્ત થાય. અહીં પ્રશ્ન થાય કે, “ મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગના વાક્યાWજ્ઞાનને બતાવીને પંચાશકમાં આગળમાં અક્ષરાર્થનું જ્ઞાન ન બતાવ્યું હોત તો શું વાંધો આવત ? તેથી કહે છે – ઉક્ત રીતિથી જEવાક્યર્થનું જ્ઞાન અને અક્ષરાર્થનું જ્ઞાન બતાવ્યું છે તે રીતે જ “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગનો ઉપયોગ પરિપૂર્ણ થાય છે, પરંતુ વાક્યર્થના જ્ઞાનમાત્રથી “ મિચ્છા મિ દુક્કડમ્'ના પ્રયોગમાં ઉપયોગ પરિપૂર્ણ થતો નથી. ‘તિ’ શબ્દ કથાની સમાપ્તિ માટે છે. મિચ્છા મિ દુક્કડમ્'ને છોડીને તે અર્થને કહેનારા અન્ય પ્રયોગથી પ્રાયઃ પાપ નાશ પામતું નથી, એ વસ્તુનો પૂર્વમાં ખુલાસો કર્યો, તેટલાથી પદાર્થ સિદ્ધ થાય છે. તેથી કહે છે - અતિચર્ચા વડે શું? અર્થાત્ આટલી ચર્ચાથી પદાર્થ સિદ્ધ થાય છે કે “મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગને છોડીને તદર્થને કહેનારા અન્ય શબ્દના પ્રયોગથી પ્રાયઃ પાપ નાશ પામતું નથી, તેથી વિશેષ ચર્ચાની જરૂર નથી. * ‘તવા' આ તત્ શબ્દનું તૃતીયા વિભક્તિનું રૂપ છે. ભાવાર્થ :પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે, “ મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગના જ્ઞાનથી જ આજ્ઞાઆરાધનનો યોગ થાય છે. તે વાતને યુક્તિથી બતાવતાં કહે છે – શાસ્ત્રમાં “મિચ્છા થં તિ વિયાણ મિચ્છુક્કડં ” અર્થાત્ “આ મારું પાપ મિથ્યા છે, એમ જાણીને “મિચ્છા મિ દુક્કડમ્' આપવું” એ કથન છે, તેમાં ‘પુત શબ્દ પોતાના દુષ્કતનો પરામર્શક છે. અને જીત શબ્દ પોતાના દુષ્કતનો પરામર્શક છે તેમ કહેવાથી, પોતાનાં થયેલાં દુષ્કત મિથ્યા છે એમ જાણીને “ મિચ્છા મિ દુક્કડમ્' આપે, તો તે મિથ્યાકાર સામાચારી બને, એવો અર્થ ઉદ્ધરણના કથનથી પ્રાપ્ત થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, ઉપયોગપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગ કરવામાં આવે તો, મિથ્યાકાર સામાચારી કરનાર વ્યક્તિને પોતાના પાપનો નાશ ઈષ્ટ છે, તે પાપના નાશનું કારણ “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ અવશ્ય બને છે, એ વિધિઅર્થનું સર્વસ્વ છે અર્થાત્ વિધિનું તાત્પર્ય છે, અને વિધિઅર્થનો ઉપયોગ “મિચ્છા મિ દુક્કડ' પ્રયોગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy