SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ મિથ્યાકાર સામાચારીગાથા : ૨૨ તે જ પદાર્થ સ્પષ્ટ કરે છે – આ મિથ્યા છે એ પ્રમાણે જાણીને “મિચ્છા મિ દુક્કડમ્" દેવું જોઈએ એ પ્રકારની શાસ્ત્રની વિધિના અર્થનું પરિપાલન કરેલું થાય છે. તેથી આજ્ઞાઆરાધત થાય છે.) ભાવાર્થ : ભગવાનની આજ્ઞા વિધિ અને નિષેધરૂપ હોય છે. પાપપ્રવૃત્તિમાં ભગવાનની આજ્ઞા નિષેધરૂપ છે અને આત્મગુણોને વિકસાવવાને અનુકૂળ એવી ઉચિત આચરણા વિધિરૂપ હોય છે. જો કોઈ દુષ્કત થઈ ગયું હોય તો તે દુષ્કતનો નાશ કરવા અને આત્મગુણ વિકસાવવા ભગવાનની વિધિરૂપ આજ્ઞા છે કે, “આ મારું પાપ મિથ્યા છે” એ જાણીને “મિચ્છા મિ દુક્કડમ્... દેવું. તેથી જો કોઈ વ્યક્તિ મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગના અર્થના જ્ઞાનપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્' આપે તો ભગવાનની આજ્ઞારૂપ વિધિ-અર્થનું પાલન કરેલું થાય છે. તેથી ઉપયોગપૂર્વક “મિચ્છા મિ દુક્કડમ્... દેવાથી આજ્ઞાની આરાધનાનો યોગ પ્રાપ્ત થાય છે. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, “મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગના અર્થ-જ્ઞાનથી આજ્ઞા-આરાધન-યોગ થાય છે. તેને સ્પષ્ટ કરવા પૂર્વમાં ટીકામાં કહ્યું કે, “આ મિથ્યા છે,” એ પ્રમાણે જાણીને “મિચ્છા મિ દુક્કડમ્” આપવું જોઈએ, એ પ્રકારની વિધિના અર્થનું પાલન ઉક્ત પ્રયોગના જ્ઞાનથી થાય છે. એ વાતને યુક્તિથી સ્પષ્ટ કરે છે - ટીકાઃ अत्रैतदा मम दुष्कृतमित्यस्य परामर्शेन वाक्यार्थज्ञानपूर्वकत्वाभिधानस्याक्षरार्थज्ञानपूर्वकत्वोपलक्षणत्वात् अन्यथाऽग्रे तदभिधानस्यानतिप्रयोजनत्वप्रसङ्गात् उपयुक्ततयोक्तप्रयोग इष्टसाधनमिति हि विध्यर्थसर्वस्वम्, उपयोगश्चोक्तरीत्यैव सम्पूर्यत इति, किमतिचर्चितेन ? ટીકાર્ય : અહીંયાં=પૂર્વમાં વિધિના અર્થને કહેનાર સાક્ષીપાઠ બતાવ્યો છે કે, “આ મિથ્યા છે, એમ જાણીને “મિચ્છા મિ દુક્કડમ્' આપવું” – એમાં, ‘મિસ્કા યં ત્તિ એ ઉદ્ધરણના ‘યંકાત, શબ્દથી, મારું દુષ્કત છે, તે અર્થનો પરામર્શ થતો હોવાના કારણે, (અને ઉદ્ધરણમાં વિયાળા =જાણીને, એમ કહેલું હોવાથી) ઉપયુક્તપણા વડે કરીને ઉક્ત પ્રયોગ મિચ્છા મિ દુક્કડમ્ એ પ્રકારનો પ્રયોગ, ઈષ્ટતું સાધન છે=થયેલા પાપના નાશરૂપ ઈષ્ટનું કારણ છે. એ જ વિધિના અર્થનું રહસ્ય છે='મિચ્છા મિ દુક્કડમ પ્રયોગને કહેનારા વિધિના અર્થનું રહસ્ય છે, એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે, થયેલા પાપના નાશ માટે ઉપયુક્તપણા વડે મિચ્છા મિ દુક્કડમ્'ને બદલે વિતર્થ મે સુરરિત' એ પ્રકારનો પ્રયોગ કરીએ તો પણ થયેલા પાપના નાશરૂપ ઈષ્ટની સિદ્ધિ થઈ શકે, તેમ માનીએ તો શું વાંધો ? તેથી કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy