SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ મિથ્યાકાર સામાચારી, ગાથા : ૨૦ તે પ્રયોગમાં જતું નથી. વસ્તુતઃ “સુકૃતં મિથ્યા” તે પ્રયોગ “વસુધૃતાર્થવપવિશેષાવૈતથ્થાર્થ” પ્રયોગરૂપ છે, પરંતુ “સ્વદુષ્કૃતાર્થવિશેષવૈિતથ્યાર્થ” પ્રયોગરૂપ નથી. (૩) વળી કોઈ પોતાનું દુષ્કૃત કાર્ય કર્યા પછી “મારું દુષ્કત મિથ્યા થાઓ” એ પ્રયોગ કરે તો તે પ્રયોગમાં મિથ્યાકાર સામાચારીનું લક્ષણ ઘટે છે. તેવી રીતે જો “મારું દુરાચરિત મિથ્યા થાઓ” એ પ્રયોગ કરે તો ત્યાં પણ સામાચારીનું લક્ષણ ઘટશે, તેથી તે પ્રયોગને મિથ્યાકાર સામાચારી કહી શકાશે. અહીં સંક્ષેપથી એ ભાવ છે કે, (A) “વહુકૃતાર્થવિશેષાઋવૈતથ્યાર્થ” એ પદમાં ‘વ’ શબ્દ મૂક્યો, તેથી “પરંતુષ્કૃતં મિથ્યા” એ પ્રયોગમાં અતિવ્યાપ્તિ આવતી નથી. (B) અને એ જ પદમાં ‘ દુત' પદ મૂક્યું છે, તેથી “સુકૃતં મિથ્યા” એ પ્રયોગમાં પણ અતિવ્યાપ્તિ નથી. (C) વળી, “વહુક્ત વિશેષા” એમ ન કહેતાં “ કૃતાર્થપવિશેષ” એમ કહેવાથી “મિચ્છા મે સુતં” એ પ્રયોગને બદલે “વિતર્થ છે સુરાવરિત” એ પદનો પ્રયોગ કરીએ તો પણ સામાચારીનું લક્ષણ ત્યાં સ્વીકારી શકાય છે, કેમ કે સ્વદુષ્કૃત અર્થને કહેનાર “વિતર્થ ને કુરીવરિત” પદ છે. ૨૦II અવતરણિકા: इदं च व्यवहारौपयिकं लक्षणं, नैश्चयिकं तु निर्जरौपयिकं, तदाह - અવતરણિયાર્થ: અને આ પૂર્વગાથામાં બતાવ્યું છે, વ્યવહારનયને ઉપયોગી લક્ષણ છે. વળી, વૈશ્ચયિક લક્ષણ નિર્જરાને ઉપયોગી છે, તેને તેચ્ચયિક લક્ષણને, ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ પૂર્વમાં મિથ્યાકાર સામાચારીનું લક્ષણ કર્યું, તે વ્યવહારનયને ઉપયોગી લક્ષણ છે, તેથી મિથ્થાકાર સામાચારી કઈ છે અને કઈ નથી, તે પ્રકારનો યથાર્થ વ્યવહાર થઈ શકે. વળી, નૈશ્ચયિક લક્ષણ નિર્જરા માટે ઉપયોગી છે. તે નૈશ્ચયિક લક્ષણને કહે છે – અહીં નૈશ્ચયિક લક્ષણથી એ કહેવું છે કે, નિશ્ચયનયને માન્ય એવો મિથ્યાકારનો પ્રયોગ કર્યો છે, તે અહીં બતાવે છે, અને નિશ્ચયનય અનેક પ્રકારના છે, તેથી અહીં કાર્ય કરે તેને જ કારણ સ્વીકારે' તેવો નિશ્ચયનય ગ્રહણ કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય છે, જે વ્યક્તિ નિશ્ચયનયને માન્ય એવી મિથ્યાકાર સામાચારીમાં ઉપયોગપૂર્વક યત્ન કરે તો તેને અવશ્ય નિર્જરારૂપ કાર્ય થાય, તે “નિશ્ચય મિથ્યાકાર સામાચારી” છે; જ્યારે વ્યવહારનયને માન્ય એવી મિથ્યાકાર સામાચારીમાં “ઉપયોગપૂર્વક યત્ન કરે તો પણ નિયમો નિર્જરારૂપ કાર્ય થાય તેવો નિયમ નથી. માટે તે લક્ષણવાળી મિથ્યાકાર સામાચારીને નિશ્ચયનય સ્વીકારતો નથી, અને વ્યવહારનય અન્ય સામાચારી કરતાં મિથ્યાકાર સામાચારીના ભેદનો બોધ કરાવવા માટે ઉપયોગી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy