________________
૧૦૭
મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૦ ઉત્થાન :
પૂર્વમાં મિથ્યાકાર સામાચારીનું સામાન્ય લક્ષણ બતાવ્યું અને ત્યાર પછી પ્રાતિસ્વિક લક્ષણ બતાવ્યું. આ રીતે પ્રતિસ્વિક લક્ષણ કરવાથી અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિરૂપ દોષ પ્રાપ્ત થતા નથી, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
આશય એ છે કે, જો આવું પ્રાતિસ્વિક લક્ષણ કરવામાં ન આવે તો પૂર્વના કહેલા સામાન્ય લક્ષણમાં કોઈ અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિ દોષનું ઉદુભાવન કરે. તેથી સામાન્ય લક્ષણ કર્યા પછી પ્રાતિસ્વિક લક્ષણ કર્યું.
હવે પ્રાતિસ્વિક લક્ષણમાં દોષ આવતો નથી, તે બતાવતાં કહે છે – ટીકા -
तेन न 'परदुष्कृतं मिथ्या' 'स्वसुकृतं मिथ्या' इत्यादिप्रयोगातिव्याप्तिः, न वा 'मिथ्या मे दुष्कृतम्' इत्यादि प्रयोग इव ‘वितथं मे दुराचरितं' इत्यादिप्रयोगे तदव्यवहारापत्तिरिति ।।२०।। ટીકાર્ય :
તે કારણથી=પૂર્વમાં પ્રતિસ્વિક લક્ષણ બતાવ્યું તે કારણથી, “તુત મિથ્યઅને “સ્વમુક્ત મિચ્છા” ઈત્યાદિ પ્રયોગમાં અતિવ્યાપ્તિ નથી, અથવા તો “મારું દુષ્કત મિથ્યા થાઓ” ઈત્યાદિ પ્રયોગની જેમ “મારું દુરાચરિત મિથ્યા થાઓ ઈત્યાદિ પ્રયોગમાં તેના અવ્યવહારની=સામાચારીના અવ્યવહારની, આપત્તિ નથી.
તિ’ શબ્દ કથનની સમાપ્તિ માટે છે. ૨૦ ભાવાર્થ
પૂર્વમાં મિથ્યાકાર સામાચારીનું પ્રતિસ્વિક લક્ષણ કર્યું, તેથી નીચે જણાવેલ સ્થળોમાં લક્ષણની અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિ થશે નહિ?
(૧) કોઈ વ્યક્તિ “પરનું દુષ્કૃત મિથ્યા થાઓ” એમ કહે તો એ પ્રયોગમાં સામાચારીના લક્ષણની અતિવ્યાપ્તિ નહિ થાય. આવું પ્રાતિસ્વિક લક્ષણ ન કરવામાં આવે તો, કોઈ વ્યક્તિ પોતાના સંયમયોગમાં વિપરીત આચરણા કર્યા પછી પોતાના સંયમયોગમાં થયેલી વિપરીત આચરણાનું મિથ્યા દુષ્કત ન આપે, પરંતુ “પરનું દુષ્કત મિથ્યા થાઓ” - તેમ કહે તો પણ સામાચારીનું લક્ષણ ત્યાં સંગત થઈ જાય. તેના નિવારણ માટે જ પ્રાતિસ્વિક લક્ષણ કરેલ છે. તેથી ‘પરનું દુષ્કત મિથ્યા થાઓ” એ પ્રયોગમાં પરદુષ્કૃતાર્થક પદ વિશેષરૂપે હોવાથી પ્રાતિસ્વિક લક્ષણમાં અતિવ્યાપ્તિ નથી.
(૨) કોઈ વ્યક્તિ પોતાના સંયમયોગમાં વિપરીત આચરણા કર્યા પછી “સ્વસુકૃત મિથ્યા થાઓ” - એમ કહે તો પણ મિથ્યાકાર સામાચારીનું પ્રતિસ્વિક લક્ષણ કર્યું હોવાથી અતિવ્યાપ્તિ દોષ આવતો નથી; કેમ કે “સ્વદુષ્કૃતાર્થપવિશેષાવતાર્થપ્રયો:નથી. તેથી પૂર્વમાં કરાયેલું પ્રાતિસ્વિક લક્ષણ “વસુતં મિથ્યા”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org