________________
૧૦૬
મિથ્યાકાર સામાચારી/ ગાથા: ૨૦ ટીકાર્ચ -
નો મિચ્છ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
નિજ સંયમયોગના દુષ્પયુક્તમાં=સ્વકૃત સંયમયોગની વિપરીત આચરણામાં, જે મિથ્યા એ પ્રકારનો પ્રયોગ તે તમારા સિદ્ધાંતમાં નક્કી મિથ્યાકાર કહેવાયો છે=સમ્યફ પ્રકારે નિરૂપણ કરાયો છે.
મિથ્થાકાર સામાચારીના લક્ષણતા વિશેષ તાત્પર્યતે જ સ્પષ્ટ કરે છે –
“હુકૃતાર્થવિશેષતાર્થપ્રયો:પોતાના દુષ્કૃતના અર્થને જણાવતારું પદ જેમાં વિશેષણરૂપે હોય અને વૈતથ્ય જણાવતારું પદ વિશેષરૂપે હોય તેવો પ્રયોગ, સ્વતી મિચ્છાકાર સામાચારી છે, ઈત્યાદિ રૂપ પ્રાતિસ્વિક લક્ષણ છે=દરેક વ્યક્તિનો પોતાનો તે તે પાપવિષયક મિથ્થાકાર, તે સામાચારીનું પ્રતિસ્વિક લક્ષણ છે અર્થાત્ તે તે પાપને આશ્રયીને પોતપોતાની મિથ્થાકાર સમાચારી છે. ભાવાર્થ:
પ્રથમ મિથ્યાકાર સામાચારીનું સામાન્ય લક્ષણ બતાવે છે – તેમાં કોઈ વ્યક્તિ પોતાના સંયમયોગમાં વિપરીત આચરણા કરે અને તે આચરણાવિષયક “મિથ્યા' એ પ્રકારનો વચનપ્રયોગ કરે, તે “મિચ્છાકાર સામાચારી” ભગવાને કહેલી છે.
આ પ્રકારના લક્ષણથી એ પ્રાપ્ત થાય કે, કોઈક સંયમયોગમાં અનાભોગ આદિથી વિપરીત આચરણા થઈ ગઈ હોય, ત્યાર પછી તે પાપ પ્રત્યે જુગુપ્સા કરવાના આશયથી “મિથ્યા' એ પ્રકારનો પ્રયોગ કરે, તો તે પ્રયોગ મિચ્છાકાર સામાચારી બને.
આ રીતે સામાન્ય લક્ષણ કર્યા પછી વિશેષ લક્ષણ બતાવતાં કહે છે કે, પોતે કરેલા દુષ્કૃતના અર્થને કહેનારા પદને વિશેષણ કરીને “આ મારું દુષ્કૃત વિતથ થાઓ=મિથ્યા થાઓ” – એ પ્રકારનો કોઈ વ્યક્તિ પ્રયોગ કરે તો તે પ્રયોગ તેની મિથ્યાકાર સામાચારી બને.
* ‘ત્ય’િ શબ્દથી એ કહેવું છે કે, કોઈ અન્ય વ્યક્તિ પોતાના દુષ્કતના અર્થને કહેનારા પદને વિશેષણરૂપે કરીને “આ મારું દુષ્કૃત મિથ્યા થાઓ” એવો પ્રયોગ કરે તો તે અન્ય વ્યક્તિની મિથ્યાકાર સામાચારી બને, તેનું ઈત્યાદિથી ગ્રહણ કરવું.
આ રીતે દરેક વ્યક્તિની મિથ્યાકાર સામાચારીનું લક્ષણ જુદું જુદું બને અને તે બતાવવા પ્રાતિસ્વિક લક્ષણ છે એમ કહ્યું. દરેક વ્યક્તિના પોતાના કરાયેલા પાપવિષયક મિથ્યાકારનો પ્રયોગ તે પોતાના માટે મિથ્યાકાર સામાચારી છે. તે રીતે અન્ય વ્યક્તિ પોતાના પાપવિષયક મિશ્રાકાર પ્રયોગ કરે તે તેની મિથ્યાકાર સામાચારી છે. આ રીતે દરેક વ્યક્તિને આશ્રયીને મિથ્યાકાર સામાચારીનું લક્ષણ જુદું પડે તે પ્રાતિસ્વિક લક્ષણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org