SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છાકાર સામાચારી ગાથા : ૧૯ ૧૦૩ નિર્જરાનો અપ્રચ્યવ છે અર્થાત્ તે દાનની ક્રિયાથી થતો લાભ પૂર્ણરૂપે પ્રાપ્ત થયો છે. આશય એ છે કે, આહારાદિદાનરૂપ દ્રવ્યદાન શુદ્ધભાવથી યુક્ત હોય તો તે દાનથી નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય, અને શુદ્ધભાવ ન હોય તો નિર્જરારૂપ ફળ મળે નહિ, તેથી નિર્જરારૂપ ફળ પ્રત્યે દ્રવ્યદાન અનેકાંતિક છે. વળી દ્રવ્યદાનના અતિશયથી નિર્જરાનો અતિશય થતો નથી, પરંતુ દ્રવ્યદાનકાળમાં વર્તતા ભાવના અતિશયથી જ નિર્જરાનો અતિશય થાય છે, તેથી દ્રવ્યદાન અનાત્યંતિક છે. જ્યારે ભાવદાનમાં એકાંતે નિર્જરા થાય છે, તેથી ભાવદાન એકાંતિક છે. વળી ભાવદાનમાં વર્તતા ભાવના પ્રકર્ષથી નિર્જરાનો પ્રકર્ષ થાય છે, માટે ભાવદાન આત્યંતિક છે. અર્થાત્ દ્રવ્યદાનના પ્રકર્ષથી નિર્જરાનો પ્રકર્ષ થતો નથી માટે દ્રવ્યદાન અનાત્યંતિક છે, અને ભાવદાનમાં વર્તતા ભાવના પ્રકર્ષથી નિર્જરાનો પ્રકર્ષ થાય છે માટે ભાવદાન આત્યંતિક છે. તેથી જે સાધુ શાસ્ત્રવિધિ પ્રમાણે ઈચ્છાકાર કરીને શાસ્ત્રવિધિ અનુસાર કોઈ શક્તિને ગોપવ્યા વિના ભિક્ષા લાવવા માટે પરિપૂર્ણ યતના કરે છે, આમ છતાં પણ બાહ્ય ભિક્ષા મળી નથી ત્યારે પણ ચિત્તમાં કોઈ જ દીનતાનો પરિણામ થયો નથી, તેવા સાધુને ભાવદાનથી પૂરેપૂરી નિર્જરાની પ્રાપ્તિ થાય છે; કેમ કે આહાર લાવવાની ક્રિયામાં શાસ્ત્રીય વિધિ પ્રમાણે તેણે પૂર્ણ શક્તિ ફોરવી છે અને ગુણવાન સાધુની ભક્તિ કરવાનો વિવેકપૂર્વકનો તેનો અધ્યવસાય છે. આ રીતે શક્તિનું અનિગૂહન અને દાનનો પરિણામ તે રૂ૫ બે અંગો ફળનાં અવ્યભિચારી છે, તેથી જે સાધુને ભિક્ષા લાવવાની ક્રિયામાં આ બે અંગો વિદ્યમાન છે, તેને તે ભાવદાનથી પૂરેપૂરી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. ઉત્થાન : કોઈકને શંકા થાય છે, જે સાધુને ભાવદાન કરવાનો અધ્યવસાય છે અને તે માટે વિવેકપૂર્વક સર્વ ઉચિત પ્રવૃત્તિ કરી છે, તેના કારણે તેને નિર્જરાની પ્રાપ્તિ થાય; તો પણ તે દાનના એક અંગરૂપ દ્રવ્યદાન નથી, તેથી તે એક અંગની વિકલતાને કારણે નિર્જરારૂપ ફળમાં કંઈક વિકલતા પ્રાપ્ત થશે. તેના સમાધાનરૂપે કહે છે - ટીકા : ___न च द्रव्यदानमपि निश्चयसामग्र्यां निविशते, तस्य पुद्गलपरिणामरूपस्य स्वानुपकारित्वात् इति प्रपञ्चितं निश्चयनयविचारावसरेऽध्यात्ममतपरीक्षायामस्माभिः । तदिदमभिप्रेत्य नियुक्तिकृतोक्तम् - (आव.नि. ૬૮૧) 'वैयावच्चे (? संजमजोए) अब्भुट्ठि यस्स सद्धाए काउकामस्स । लाभो चेव तवस्सिस्स होइ अदीणमणस्स ત્તિ 987 ટીકાર્ચ - નિર્જરારૂપ ફળ પ્રત્યે નિશ્ચયનયને અભિમત એવી સામગ્રીમાં દ્રવ્યદાન પણ નિવેશ પામતું નથી, १. वैयावृत्त्येऽभ्युत्थितस्य श्रद्धया कर्तुकामस्य । लाभश्चैव तपस्विनो भवत्यदीनमनस || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy