SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૮ આવીને ધર્મવાદ કરી જૈનશાસનને પ્રાપ્ત કરે તેવી પણ સંભાવના હોય છે. પરંતુ જ્યારે તે આચાર્ય પાસે આવે ત્યારે તેમને પોતાનું ઉપધિપડિલેહણાદિ કરતા જોઈ વાદીને થાય કે, આ જૈનશાસનમાં ગુણવાનને જ દીક્ષા અપાય છે તેવું નથી; કારણ, આ શિષ્યો ગુરુનો ઉચિત વિનય પણ કરતા નથી. તેથી ભગવાનના શાસન પ્રતિ વાદીને સદ્ભાવ કે બહુમાનભાવ ન થાય તેવી પણ સંભાવના આચાર્યના સ્વયં વૈયાવૃજ્યના કૃત્યને દેખીને થાય. હવે રાજાદિ પણ આચાર્ય પાસે ધર્મ સાંભળવા આવ્યા હોય અને ધર્મ સાંભળી ધર્મમાર્ગમાં જોડાય તો તેને પણ ધર્મની પ્રાપ્તિ થાય. પરંતુ તેમના આગમન પ્રસંગે આચાર્યને સ્વતૈયાવૃજ્યમાં વ્યાપૃત દેખી તેને પણ લાગે કે, જૈનશાસનમાં ગુણ વગરના શિષ્યોને પણ દીક્ષા અપાય છે, તેથી જૈનશાસન નિસાર છે. માટે વાદી કે રાજાદિને આચાર્યથી જે લાભ થવાની સંભાવના હોય તે ઓછી થાય છે. માટે પણ આચાર્યોએ શિષ્યોને વૈયાવચ્ચમાં પ્રવર્તાવી વિનયસંપન્ન કરવા જોઈએ. ટીકા - तदुक्तम् - 'सुत्तत्थेसु अचिंतण आएसे वुड्ढसेहगगिलाणे । बाले खमणे वाई इड्ढीमाई अणिड्ढीआ ।। एएहिं कारणेहिं तुंबभूओ अ होइ आयरिओ । वेयावच्चं करणं (ण करे) कायव्वं तस्स सेसेहिं ।। जेण कुलं आयत्तं तं पुरिसं आयरेण रक्खिज्जा । ण हु तुंबमि विणटे अरया साहारया हुंति । । નોંધ :- ગાથામાં વૈયાવળં વરyi' ના સ્થાને આ.નિ.માં “વૈયાવä જ રે” શબ્દ છે તે પ્રમાણે ઉપર્યુક્ત અર્થ કરેલ છે. ટીકાર્ય - તે=પૂર્વમાં કહેવાયું છે, અન્ય ગ્રંથમાં જ્યાં કહેવાયું છે, તેની સાક્ષી આપે છે. આ ગાથાઓ આવશ્યકતિર્યુક્તિ શ્લોક-૬૮૦ની ટીકામાં છે. તે પ્રમાણે તેનો અર્થ કરેલ છે. (આચાર્ય સ્વયં વૈયાવૃત્ય કરે=પોતાની ઉપધિપ્રતિલેખનાદિ કરે અને ગ્લાનની વૈયાવચ્ચ કરે તો) સૂત્ર અને અર્થનું અચિંતન થાય અને તેને કારણે આદેશમાં=પ્રાથૂર્ણકમાં, વૃદ્ધ, શૈક્ષ, ગ્લાનમાં, બાલમાં અને ક્ષેપકમાં (સારણા-વારણાદિનો અભાવ થાય, અને આચાર્ય સ્વયં વૈયાવચ્ચ કરતા હોય ત્યારે) કોઈ વાદી કે અદ્ધિમાન શ્રેષ્ઠી કે રાજા આદિ આવે તો, આ બધા શિષ્યો અણિઠ્ઠીઆ=ઋદ્ધિ વિનાના છે=ગુણરૂપી સમૃદ્ધિ વિનાના છે, એમ થાય. આ કારણોથી વિવેકી આચાર્ય સ્વયં વૈયાવૃત્ય કરતા નથી પરંતુ સૂત્રાર્થનું ચિંતવન કરે છે અને તેને કારણે પ્રાપૂર્ણક આદિ સર્વનું સારણા-વારણા દ્વારા રક્ષણ કરે છે અને વાદી વગેરે આવે તો પ્રવચનની ઉન્નતિ કરે છે. આ કારણોથી, આચાર્ય તુંબભૂત છે. સ્વયં વૈયાવચ્ચ ન કરે, શેષ વડેઃશિષ્યાદિ વડે, તેનું-આચાર્યનું વૈયાવચ્ચ કરાયું १. सूत्रार्थयोरचिंतनमादेशे वृद्धशैक्षकग्लाने । बाले क्षपणे वादी ऋद्ध्यादयोऽनृद्धिकाः ।। २. एतैः कारणैस्तुंबभूतश्च भवत्याचार्यः । वैयावृत्त्यं करणं कर्तव्यं तस्य शेषैः ।। ३. येन कुलमायत्तं तं पुरुषमादरेण रक्षेत् । न हु तुंबे विनष्टेऽरकाः साधारका भवन्ति ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy