________________
૯૮
ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૮ પાસે કરાવવાની વૃત્તિવાળા બને છે, તેથી નિર્જરાની પ્રાપ્તિ થાય નહીં. પરંતુ મારા શિષ્યો ઉચિત પ્રવૃત્તિ કરનારા થાય, એવા આશયથી જો ગુરુ શિષ્ય પાસે વૈયાવચ્ચ કરાવે, અને પોતે પણ શિષ્યોને ઉચિત વિનયસંપન્ન કરવા જોઈએ, એવી ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને વૈયાવચ્ચ કરાવે, તો ગુરુને વૈયાવૃત્ત્વ કરાવીને પણ નિર્જરાની પ્રાપ્તિ થાય. પરંતુ પોતાના સુખશીલ સ્વભાવના કારણે શિષ્યો પાસે વૈયાવૃત્ત્વ કરાવવાની વૃત્તિ ધરાવે તો ગુરુને વૈયાવચ્ચ કરાવીને પણ કર્મબંધની પ્રાપ્તિ થાય.
ખરંટનાદિમાં થતા સ્વગત પ્રદ્વેષના ભયથી પણ જો ગુરુ શિષ્યો પાસે ઉચિત કૃત્યરૂપ વૈયાવૃત્ત્વ ન કરાવે, તો શિષ્યોને માર્ગાનુસારી પ્રવૃત્તિ કરાવવા માટે કરાતા યત્નથી થતી નિર્જરાનો લાભ પણ ગુરુને પ્રાપ્ત થાય નહીં, અને શિષ્યોને પણ ગુરુનો ઉચિત વિનય કરવાથી જન્ય જે નિર્જરા પ્રાપ્ત થાય છે, તે નિર્જરા ન થાય.
આથી શિષ્ય પણ જો ગુણવાન ગુરુની ભક્તિના આશયથી વૈયાવૃત્ત્વ કરે તો તેને નિર્જરાનો લાભ થાય, અને ગુરુ પણ શિષ્યોના ગુણ વિકસાવવાના શુભ આશયથી વૈયાવચ્ચ કરાવે તો ગુરુને પણ નિર્જરા પ્રાપ્ત થાય. અન્યથા, ગુરુ જો પોતાના સુખશીલ સ્વભાવથી શિષ્યો પાસે વૈયાવચ્ચ કરાવે તો ગુરુને પણ કર્મબંધ થાય, અને તે રીતે શિષ્યો પણ, અમારા ગુરુ અમને કહે છે માટે અમારે કરવું પડે છે, તેવા આશયથી વૈયાવચ્ચ કરે તો શિષ્યોને પણ કર્મબંધ થાય.
અહીં વિશેષ એ છે કે સમભાવનો પરિણામ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરાવે છે. તેથી જે ગુરુ સમભાવમાં વર્તતા હોય તેમને જેમ સ્વકલ્યાણ માટે યત્ન કરવાનો પરિણામ હોય છે, તેમ ૫૨ના કલ્યાણ માટે પણ શક્તિ પ્રમાણે યત્ન કરવાનો અધ્યવસાય હોય છે. આથી સમભાવવાળા સાધુ જેમ સ્વયં ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેમ યોગ્ય શિષ્યોને તેમના હિતમાં પ્રવર્તાવવા અર્થે વૈયાવૃત્ત્પાદિમાં પ્રવર્તાવે છે. આથી પોતાને પણ ઉચિત પ્રવૃત્તિ કરાવવાથી જન્ય નિર્જરાની પ્રાપ્તિ થાય છે અને શિષ્યો પણ ઉચિત પ્રવૃત્તિવાળા બને છે તેથી નિર્જરાની પ્રાપ્તિ કરી શકે છે.
‘રૂવમુપતક્ષાં’ પૂર્વમાં કહ્યું કે, ગુરુ પોતાનું વૈયાવૃત્ત્વ કરે તો શિષ્યોને સ્વહસ્તે જ અવિનીત કરે છે. તે કથન, આગળમાં કહેવાશે તે કથનનું ઉપલક્ષણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, જો ગુરુ કે આચાર્ય શિષ્યો પાસે પોતાનું વૈયાવૃત્ત્વ ન કરાવે તો પોતાના શિષ્યો અવિનીત બને છે તથા આચાર્યને સૂત્રાર્થનું ચિંતવન ઓછું થાય છે, જેના કારણે પોતે જે સૂત્રાર્થના ચિંતવનથી આત્માનું વિશેષ હિત સાધી શકે છે, તે પ્રાપ્ત થાય નહીં, અને ભગવાનના શાસનને પણ આચાર્યના તે શ્રુતચિંતવનથી જે લાભ થવાનો હતો તે થાય નહિ; કેમ કે યોગ્ય જીવોને સૂત્રાર્થના ચિંતવનથી માર્ગનો બોધ કરાવી શકત અને સ્વશિષ્યોને પણ શાસ્ત્રના સૂક્ષ્મ પદાર્થો બતાવી તે બધા લાભોનું વંચન સ્વવૈયાવૃત્ત્વકરણથી થયું.
શકત,
વળી, વાદી કે રાજાદિ આચાર્ય પાસે આવ્યા હોય ત્યારે આચાર્યને વૈયાવૃત્ત્વમાં તત્પર જુએ તો વાદી કે રાજાદિને થાય કે, “ગુણરહિત એવા શિષ્યો આચાર્ય વડે પ્રવ્રુજિત કરાયા છે.” તેથી ભગવાનનું શાસન ગુણનું પક્ષપાતી નથી, તેવી બુદ્ધિ તેઓને થવારૂપ પ્રવચનનું લાઘવ થાય.
આશય એ છે કે, કોઈ વાદી વાદ કરવા આવેલો હોય, ધર્મવાદ ક૨વાનો અર્થી હોય, તો આચાર્ય પાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org