________________
લ
ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૬
તવિમગ્રેન્યો આ અભિપ્રાયને નિંદાવચનથી નિવૃત્તિમાં અત્યંત ઉત્સાહનો ઉદય થાય છે, એ અભિપ્રાયને, સામે રાખીને હરિભદ્રસૂરિ વડે તે=આગળમાં કહેવાશે તે, કહેવાયું છે –
“પ્રજ્ઞાપનીય અને અનાભોગથી સ્કૂલના પામેલા એવા યોગ્યમાં પણ ઈલતુ ખરંટના પણ ઉચિત છે અથવા ઈષદ્ પ્રજ્ઞાપનીય=કંઈક સમજે છે તેવા, અનાભોગથી સ્કૂલના પામેલા એવા યોગ્યમાં પણ ખરંટના પણ ઉચિત છે.” - પંચાશક-૧૨ શ્લોક-૯
ત્તિ' ઉદ્ધરણમાં ‘ત્તિ’ વાક્યની પરિસમાપ્તિમાં છે. ત્રિવળન્ને ‘તિ અહીં તિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૬. * ‘નોવિ’ અહીં ‘સર’ થી અયોગ્યનું ગ્રહણ કરવાનું છે.
* “વરંટ વિ’ અહીં‘સર’ થી એ કહેવું છે કે, સાધુને ખરેખર ખરંટના કરવી ઉચિત નથી, છતાં શિષ્યના લાભાર્થે ખરંટના કરવી પણ ઉચિત છે. ભાવાર્થ : -
જે જીવ ગુણવાન છેતે જીવયોગ્ય છે. આમ છતાં ભગવાનના વચનનું સ્મરણ ન રહેવાથી સાધુસામાચારીની ઉચિત આચરણામાં તે ક્વચિત્ સ્કૂલના પામે ત્યારે તેને ગુરુ દુર્વાક્યો વડે ભર્સના કરે છે. યોગ્ય જીવ પ્રાયઃ અભિનિવેશથી સ્કૂલના પામતો નથી, પરંતુ અજ્ઞાનથી શ્રુતના ઉપયોગના અભાવથી અલના પામે છે.
યોગ્ય જીવને પણ ખરંટના કરવાનું કથન કર્યું, તેનાથી, “યોગ્ય શિષ્યમાં અભિયોગ નથી” – એ માન્યતાનું નિરાકરણ થાય છે. આનાથી એ અર્થ પ્રાપ્ત થાય કે, ખરંટના અભિયોગથી કંઈક જુદા અર્થની વાચક હોવા છતાં અભિયોગને બતાવે છે; કેમ કે ખરંટના દ્વારા પણ સામેની વ્યક્તિને તે વૈયાવૃજ્યાદિ કૃત્ય કરવા માટેનો આગ્રહ કરવાનો છે.
અહીં વિશેષ એ છે કે અયોગ્યને ઈચ્છાકાર, આજ્ઞા અને અભિયોગથી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે ત્યારે તે વૈયાવચ્ચાદિ કૃત્ય ગુરુ આદિના ભયથી કરે છે, તેથી તે કૃત્ય કરવાથી તેને નિર્જરા થવાની શક્યતા નહિવત્ છે. આમ છતાં ધીરે ધીરે ઉચિત કૃત્ય કરીને માર્ગ ઉપર આવી જાય તે આશયથી ઉચિત કૃત્યમાં તેને બલાભિયોગથી પ્રવૃત્તિ કરાવાય છે, જ્યારે યોગ્યને ખરંટનામાં તો દુર્વાક્યોથી ભર્સના કરવામાં આવે છે. તેથી યોગ્ય જીવને પોતાની સ્કૂલના પ્રત્યે અત્યંત નિંદાનો અધ્યવસાય થાય છે અને ઉચિત આચરણા કરવા પ્રત્યેનો ઉત્સાહ પેદા થાય છે, જેથી આવા સ્થાનમાં ખરંટનાથી યોગ્ય શિષ્યને વિશિષ્ટ નિર્જરા થાય છે.
‘નથ’ થી કોઈ શંકા કરે છે કે, કોઈ યોગ્ય શિષ્ય અનુપયોગને કારણે વિપરીત પ્રવૃત્તિ કરતો હોય તો તેવા શિષ્યને ઉચિત પ્રવૃત્તિ કરાવવા અર્થે ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ, ખરંટના શા માટે ? કેમ કે યોગ્ય શિષ્યમાં ગુણવત્તા હોઈ માત્ર ઈચ્છાકારથી કહેવામાં આવે તો પણ તે પ્રવૃત્તિ કરશે, માટે યોગ્ય શિષ્યને કઠોર શબ્દરૂપ ખરંટના સાધુએ કરવી જોઈએ નહિ.
આવા પ્રકારની શંકાનું નિરાકરણ કરતાં કહે છે - ઈચ્છાકારનો પ્રયોગ માત્ર સામાચારીની ઉચિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org