SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૧૬ પછી પણ કાર્ય નહીં કરતા એવા તેને આજ્ઞા કરવી જોઈએ અને ત્યાર પછી પણ કાર્ય નહીં કરતા એવા તેને અભિયોગ=બલાભિયોગ, કરવો જોઈએ. મૂળ ગાથામાં ‘કાર્ય’ એ અધ્યાહાર છે. અહીં બલાભિયોગના સ્થાને અભિયોગ શબ્દ, પદના એક દેશમાં=અભિયોગમાં, પદસમુદાયનો=બલાભિયોગનો, ઉપચાર કરીને બલાભિયોગ એ પ્રમાણે અર્થ છે. અને તે પ્રકારે=અયોગ્ય શિષ્યને પ્રથમ ઈચ્છાકાર કરવો, ત્યાર પછી આજ્ઞા કરવી અને ત્યાર પછી બલાભિયોગ કહ્યો, તે પ્રકારે, ચૂર્ણિકાર વડે કહેવાયું - “જે વળી અયોગ્ય છે, તેમાં આજ્ઞા પણ કરવી, બલાભિયોગ પણ કરવો. તેમાં પણ પ્રથમ ઈચ્છાકાર પ્રયોગ કરે છે. જો કાર્ય કરે તો સુંદર. હવે ન કરે તો બલામોટિકાથી=બલાત્કારથી, કરાવે. તેવા પ્રકારના=જેના ઉપર અભિયોગ કરવો પડે તેવા પ્રકારના, અયોગ્ય જીવો સંવાસ કરવા યોગ્ય નથી. અને હવે તેના ભાઈ, ભાણેજ વગેરે પરિત્યાગ કરવા સમર્થ થતા નથી, ત્યારે આજ્ઞાબલાભિયોગ પણ કરે.” ‘રૂતિ’ ચૂર્ણિકારના કથનની સમાપ્તિમાં છે. * ‘અદ તે’ ના સ્થાને ‘અન્ન તે’ એવો પાઠ ભાસે છે. અને આ વ્યવસ્થા=ઈચ્છાકારથી કાર્ય ન કરે તો આજ્ઞા અને બલાભિયોગથી કરાવવાની વ્યવસ્થા, જે સ્વજનાદિવાળો હોય=જેના ઘણા સ્વજનોએ દીક્ષા લીધી હોય તેવો હોય, અયોગ્ય હોય અને વૈયાવૃત્યાદિ કાર્ય કરવાને નહીં ઈચ્છતો પણ જે ગુરુ આદિના ભયથી ડરે છે અથવા કુલની લજ્જાથી પાછો ફરે છે, તેના પ્રતિ જાણવી. જે વળી આજ્ઞાબલાભિયોગથી પણ કોઈ રીતે પાછો ફરતો નથી, ઊલટો અત્યંત પ્રકોપ કરનારો=ગુસ્સો કરનારો, થાય છે, તેના પ્રતિ=તેવા અયોગ્ય પ્રતિ, તેનું= આ આજ્ઞા અને બલાભિયોગનું, ઔચિત્ય નથી=તેવા અયોગ્યને આજ્ઞા અને બલાભિયોગ કરવો ઉચિત નથી. આ જ વાતના સમર્થન માટે કહે છે - અને પંચાશક નં. ૧૨તી ગાથા-૯માં કહેવાયું છે –“ગાઢ અયોગ્યમાં પ્રતિષેધ છે”=અત્યંત અયોગ્ય શિષ્યમાં બલાભિયોગનો પ્રતિષેધ=નિષેધ, છે. ‘કૃતિ’ પંચાશકના કથનની સમાપ્તિમાં છે. લૌકિક સૂક્ત દ્વારા પણ આ જ વાતને સમર્થન આપતાં કહે છે, “મૂર્ખ જીવોને ખરેખર ઉપદેશ પ્રકોપ માટે છે, શાંતિ માટે નથી. સર્પોને દુગ્ધપાન ફક્ત વિષવર્ધન માટે છે.” Jain Education International સુવાક્ય પણ છે * ચૂર્ણિમાં ‘વાર્તામોનો વિ’ માં ‘પિ’ થી ઈચ્છાકા૨નો સમુચ્ચય છે. * ‘સ્વપ્નનાવિ’ અહીં ‘’િ થી મિત્ર કે સંબંધીનું ગ્રહણ કરવું. * ‘નિચ્છપિ’ માં ‘પિ’ થી કેટલાંક કાર્યો કે જે તે અયોગ્ય ઈચ્છતો પણ હોય તેનો સમુચ્ચય કરવાનો છે. * ‘નુર્વાતિમયેન’ અહીં ‘વિ’ થી વડિલ, સ્થવિર આદિનું ગ્રહણ કરવું. For Personal & Private Use Only - www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy