________________
૮૩
ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૧૫ છે. સૌથી નાના શૈક્ષ હોય કે પછી ગુણથી અધિક રાત્વિક હોય, સામાન્યથી સાધુએ કોઈને આજ્ઞા કરવી કલ્પ નહીં, આ પ્રકારનો ઉત્સર્ગ માર્ગ છે, અને તેમાં આવશ્યકનિયુક્તિ શ્લોક-૯૭૭ની સાક્ષી આપે છે. સાક્ષીપાઠનો અર્થ આ પ્રમાણે છે: “સાધુને આજ્ઞાબલાભિયોગ કરવો કલ્પતો નથી. આથી શૈક્ષ હોય કે રાત્નિક હોય, કોઈપણ સાધુને કાર્ય બતાવવું હોય ત્યારે ઈચ્છાકારનો પ્રયોગ કરવો,” આ સામાન્ય નિયમ છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થયું કે આ ઉત્સર્ગમાર્ગ છે.
આનાથી એ ફલિત થયું કે, શિષ્યને પણ ગુરુ કોઈ કાર્ય સોંપે તો ઈચ્છાકારના પ્રયોગપૂર્વક કહે; કેમ કે સાધુને સર્વત્ર આજ્ઞાબલાભિયોગનો નિષેધ છે. તેથી શિષ્ય નિર્જરાની ઈચ્છાથી ઉચિત કાર્ય કરે તેવી ગુરુની અપેક્ષા છે, અને તેથી તેને ઉચિત શું છે, તે બતાવવા માટે તેને કહે છે કે – “આ કાર્ય તું ઈચ્છાથી કર.” “હું ગુરુ છું અને તું શિષ્ય છે, માટે હું કહું તેમ તારે કરવું જોઈએ, તેવો ગુરુનો અધ્યવસાય નથી. ટીકા :
अपवादतस्तु-अपवादपदमाश्रित्य तु, ईषत्-मनाग, महतस्तस्य प्रायः प्रद्वेषनिबन्धनत्वात् कल्पतेऽसावाज्ञाबलाभियोगः अश्वज्ञातेन अश्वदृष्टान्तेन । ટીકાર્ય :
અપવાદથી વળી=અપવાદને આશ્રયીને વળી, થોડો એવો આ=આજ્ઞાબલાભિયોગ, અશ્વદગંતથી કલ્પ છે.
અહીં પ્રશ્ન થાય કે, થોડો બહાભિયોગ કલ્પ છે, પણ અધિક કેમ નહીં? તેથી કહે છે - મહાન એવા તેનું આજ્ઞાબલાભિયોગનું, પ્રાયઃ કરીને પ્રદ્વેષનું કારણ પણું છે. ભાવાર્થ
અપવાદથી વિનીત શિષ્યમાં ઈષદ્ આજ્ઞાબલાભિયોગ અશ્વના દૃષ્ટાંતથી કરવા કહ્યું છે, તેમ કહ્યું. ત્યાં ઈષદ્ બલાભિયોગ એટલે આજ્ઞા પછીનું બલવાન કથન. જેમ કે, “તું. આ કાર્ય કર એ આજ્ઞા છે, અને “તારે આ કાર્ય કરવાનું જ છે”, એમ શિષ્યની અનિચ્છા હોવા છતાં દબાણપૂર્વકનું કથન કરવાથી સ્વયં કરે, તેવો બલાભિયોગ ઈષદ્ બલાભિયોગ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે, અનિચ્છા છતાં પણ તેની પાસે એક વાર કાર્ય કરાવવાથી પાછળથી તે વિનયસંપન્ન બની શકે તેવો છે, અને તેથી પછીથી ઉચિત વિનય કરીને આત્મહિત કરી શકે તેવો છે. તેથી તેવા શિષ્યને લાભ થવાની સંભાવના હોવાથી અપવાદને આશ્રયીને ઈષબલાભિયોગ કરવાની ભગવાનની આજ્ઞા છે.
પરંતુ અહીં મહાન બલાભિયોગ કરવાનો નિષેધ કરેલ છે. મહાન બલાભિયોગ એટલે કે “તારે આ કરવાનું જ છે” એમ કહેવા છતાં, વારંવાર તેની પાછળ લાગી ધમકી આદિ આપીને કાર્યની સમાપ્તિપર્યંત સતત તેના પર દબાણ આપી કાર્ય કરાવવું. આવો મહાન બલાભિયોગ શિષ્યને પ્રાયઃ ગુરુ કે ધર્મ પ્રતિ પ્રશ્લેષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org