________________
૮૨
ટીકાર્ય
-
‘બાળા ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે.
“તારા વડે આ કાર્ય કરાવું જ જોઈએ" એ પ્રકારનો પ્રયોગ, તે આજ્ઞા છે, અને તેને=કાર્યને નહિ કરતાને, બળાત્કાર, તે બલાભિયોગ છે. આ રીતે આજ્ઞા અને બલાભિયોગનો અર્થ બતાવીને હવે આજ્ઞાબલાભિયોગનો સમાસ બતાવતાં કહે છે –
ઈચ્છાકાર સામાચારી | ગાથા : ૧૫
(૧) ત્યારપછી આજ્ઞાસહિત બલાભિયોગ એ પ્રકારે તત્પુરુષ સમાસ છે, (૨) આજ્ઞાનો અને બલનો અભિયોગ=વ્યાપાર, એ પ્રમાણે અન્ય કહે છે, (૩) આજ્ઞા જ બલાભિયોગ છે, તેમ બીજા કહે છે.
તે=આજ્ઞાબલાભિયોગ, સર્વત્ર=રાત્વિક કે શૈક્ષમાં, સામાન્યથી સાધુઓને કરવો કલ્પતો નથી=ઉચિત નથી. ઈતિ=આ, ઉત્સર્ગ છે=કારણઅપોદ્ય અર્થાત્ કારણ છોડી, નિયમ છે=કારણ ન હોય ત્યારનો જે નિયમ તે ઉત્સર્ગ છે. સાધૂનામ્ એ ગાથામાં અધ્યાહાર છે.
જે કારણથી આગમ છે=જે કારણથી આજ્ઞાબલાભિયોગ સાધુને કલ્પતો નથી, તેને કહેનાર આગમ છે, તે કારણથી ઉપરનું કથન ગ્રંથકારે કર્યું છે, એમ અન્વય છે. (આવશ્યક નિર્યુક્તિ શ્લોક-૬૭૭) “નિગ્રંથોને આજ્ઞાબલાભિયોગ કરવો કલ્પતો નથી, ત૪=તે કારણથી, શૈક્ષ અને રાત્નિકમાં ઈચ્છાનો= ઈચ્છાકારનો, પ્રયોગ કરવો જોઈએ.”
ભાવાર્થ:
‘આજ્ઞાબલાભિયોગ’ શબ્દના ટીકામાં ત્રણ રીતે અર્થ કરેલ છે :
ત્યાં પ્રથમ ‘આજ્ઞાસહિત બલાભિયોગ’ એ તત્પુરુષ સમાસ કર્યો. તેનાથી એ પ્રાપ્ત થાય કે પ્રથમ આજ્ઞા ક૨વામાં આવે, અને આજ્ઞાનું જ્યારે પાલન ન કરે ત્યારે તેની પાસેથી બલાત્કારે કાર્ય કરાવવામાં આવે છે. આવા સ્થાનમાં આજ્ઞાથી યુક્ત એવો બલાભિયોગ ઘટે છે.
હવે ટીકામાં બીજી રીતે આજ્ઞાબલાભિયોગનો અર્થ કર્યો કે, ‘આજ્ઞા અને બલનો અભિયોગ’=વ્યાપાર. તેનાથી એ પ્રાપ્ત થાય કે, આજ્ઞાનો વ્યાપાર અને બલનો વ્યાપાર, એ બંને વ્યાપારો જુદા છે, કોઈક પ્રયોગમાં આજ્ઞાનો વ્યાપાર હોય તો કોઈક પ્રયોગમાં બલનો પણ વ્યાપાર હોય છે. તે આજ્ઞાબલાભિયોગ કહેવાય.
હવે ટીકામાં ત્રીજી રીતે આજ્ઞાબલાભિયોગનો અર્થ કર્યો કે, ‘આજ્ઞા જ બલાભિયોગ છે.’ આનાથી એ પ્રાપ્ત થાય કે, ઈચ્છાકા૨ના પ્રયોગ વિનાનું કથન આજ્ઞારૂપ છે અને તે આજ્ઞા જ બલાભિયોગરૂપ છે. કારણ, આજ્ઞામાં દબાણ રહેલું છે.
આજ્ઞાબલાભિયોગ સર્વત્ર એટલે કે રાત્નિકમાં કે શૈક્ષમાં સાધુઓને ક૨વો ઉચિત નથી. એટલે કે, અહીં રાત્વિક અને શૈક્ષ કહેવાથી શૈક્ષથી આરંભી રાત્વિક પર્યંતના વચ્ચેના બધા સાધુઓને ગ્રહણ કરવાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org