________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨/ગાથા-૧૫-૧૬
(૫) વિધિમાંહે પક્ષભાવ ધરે=સર્વ ક્રિયાઓ વિધિ અનુસાર કરવાના પક્ષપાતવાળા ભાવને ધારણ કરે અને (૬) દેશકાલમુખ=દેશ કાળ વગેરે જેમ હોય તેમ અનુસરે=વિધિ સેવનમાં પ્રયત્ન કરે, તિમ સવિ ગીતાર્થ વ્યવહાર જાણે એ પ્રવચનકુશલ ઉદાર=એ શ્રાવક મોટો પ્રવચન કુશળ કહેવાય. ।।૧૬।
ભાવાર્થ:
ભાવશ્રાવક નિયમા સમ્યગ્દષ્ટિ હોય છે અને સમ્યગ્દષ્ટિ જીવને ભગવાનનું વચન જ કલ્યાણનું કારણ દેખાય છે, તેથી સ્વશક્તિ અનુસાર જીવનમાં શાસ્ત્રના પરમાર્થને જાણવા યત્ન કરે છે. તેથી ભાવશ્રાવક નિયત સમયમાં પ્રવચનમાં કુશળ બને છે અને પ્રયનમાં કુશળ બનવા માટે ભાવશ્રાવક ગુરુ પાસે શ્રાવકના ઉચિત સૂત્રો ભણે, તે પ્રવચનદક્ષ થવાનો પહેલો ભેદ છે.
૮૩
સૂત્રો ભણ્યા પછી શ્રાવક સુતીર્થં=ગીતાર્થગુરુ પાસે, તેના અર્થ સાંભળે અને ગીતાર્થ ગુરુપાસે સૂત્રના અર્થ સાંભળી તેમાં નિપુણ બને છે. પરંતુ જેની-તેની પાસે અર્થ સાંભળે નહિ.
વળી, સૂત્રો સાત વિભાગવાળા છે અર્થાત્ ભયસૂત્ર આદિરૂપે સાત વિભાગવાળા છે તે વિષયોના વિભાગને યથાર્થ જાણે જેથી તે સૂત્રોને ઉચિત રીતે જોડીને આત્મહિત સાધી શકે. આ વચનદક્ષ થવાનો બીજો ભેદ છે.
વળી, શ્રાવક ગીતાર્થગુરુ પાસેથી અર્થ ગ્રહણ કરીને ઉત્સર્ગ અપવાદને યથાર્થ સ્થાને યોજન કરી શકે તેવો નિપુણ થાય. આ પ્રવચનદક્ષનો ત્રીજો ચોથો ભેદ છે.
વળી, શ્રાવક જે કંઈ ધર્માનુષ્ઠાન કરે છે તે દેશકાળ વગેરેને અનુસરીને શાસ્ત્ર વિધિ અનુસાર કરવામાં પક્ષપાત ધારણ કરે છે અર્થાત્ શક્ય હોય તે સર્વ વિધિનું પાલન કરે છે અને જે વિધિ શક્ય ન હોય ત્યાં પણ વિધિ સેવન પ્રત્યેનો પક્ષપાત ધારણ કરે છે. આ પ્રવચનદક્ષનો ભાવ=પક્ષપાત નામનો ભાવ પાંચમો ભેદ છે.
વળી, શ્રાવક ગીતાર્થગુરુ પાસે અર્થો ભણીને દેશકાળને અનુરૂપ કરાતા ઉચિત વ્યવહારોને યથાર્થ જાણે આ પ્રવચનદક્ષનો છઠ્ઠો ભેદ છે.
આ છએ ભેદોમાં ભાવશ્રાવક તેના ઉપાયોને સેવીને નિપુણપણું પામે ત્યારે પ્રવચનદક્ષ કહેવાય છે અને પ્રારંભિક ભૂમિકામાં હોય ત્યારે પ્રવચનદક્ષ થવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org