SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨/ગાથા-૧૫-૧૬, ૧૭ ઉદ્યમશીલ હોય છે અને જેઓ તે પ્રકારનો યત્ન કરતા નથી, તેઓ ક્યારેય પણ પ્રવચનદક્ષ બનતા નથી. માટે તેઓમાં ભાવશ્રાવકપણું નથી. ૧૫-૧૬ અવતરણિકા : પ્રસ્તુત ઢાળનું નિગમન કરે છે ગાથા : કિરિયાગત એ ષદ્વિધ લિંગ, ભાષે તું જિનરાજ અભંગ; એ વિધિ શ્રાવક જે આચરે, સુખજશલીલા તે આદરે. ૧૭ ગાથાર્થ -: કિરિયાગત એ=પ્રસ્તુત ઢળમાં વર્ણન કર્યા એ, છ પ્રકારના લિંગ, હે જિનરાજ ! તમે અભંગ ભાખો છો=ભાવશ્રાવકમાં ભંગ રહિત સર્વ હોય એ પ્રમાણે તમે કહો છો. આ વિધિ=ક્રિયાગત છ લિંગો કહ્યા એ વિધિ, જે શ્રાવક આચરે તે સુખ અને યશની લીલા આદરે=પ્રાપ્ત કરે. II૧૭II ભાવાર્થ : પ્રસ્તુત ઢાળની ગાથા-૨માં ભાવશ્રાવકના કૃતવ્રતકર્માદિ છ લક્ષણો બતાવ્યા તે છએ લક્ષણોના અવાંતર સર્વ ભેદો જે અત્યાર સુધી વર્ણન કર્યા તે ક્રિયાના સેવનાત્મક છે. તે બતાવવા માટે આ છ લિંગો ક્રિયાગત છે તેમ કહેલ છે અને આ છ ક્રિયાગત લિંગો ભગવાને અભંગ ભાખ્યા છે=શ્રાવકે આ છએ પ્રકારની ઉચિત આચરણા ભંગ વગર કરવી જોઈએ એમ ભગવાન કહે છે. જે શ્રાવક આ પ્રકારની ક્રિયાઓ આચરે છે તે શ્રાવક ગુણસ્થાનકની પરિણતિને પ્રાપ્ત કરીને સુખ અને યશની લીલાને પ્રાપ્ત કરે છે અર્થાત્ આ ભવમાં પણ મોહના ક્લેશના અભાવને કારણે સુખ પ્રાપ્ત કરે છે અને સજ્જન પુરુષ તરીકેના યશને પ્રાપ્ત કરે છે અને જન્માંતરમાં પણ સદ્ગતિઓની પરંપરા દ્વારા પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે. II૧૭ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy