________________
૭૭
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨/ગાથા-૯-૧૦
અનભિનિવેશી અવિતથ ગણે, ગીતારથ ભાષિત જે સુણે;
સદુહણાયે સુણવા ચાહ, સમકિતનો મોટો ઉછાહ. ૧૦ ગાથાર્થ :
સ્વાધ્યાયમાં વૈરાગ્યને ધારણ કરે, તપ નિયમાદિક કરણે કરવામાં રાગ રાખે, ગુણના નિધાન પુરુષો પ્રત્યે વિનય પ્રjજેપ્રયોગ કરે, જેમ મનમાં ઘણો આદર વધે. IIII.
અનભિનિવેશી એવો શ્રાવક ગીતાર્થ ભાષિત એવું જે સુણે સાંભળે, તે અવિતથ ગણે યથાર્થ માને, સદ્દતણા=શ્રદ્ધા, સુણવા ચાહ નવું નવું સાંભળવા માટેની ચાહણા, સમકિતનો મોટો ઉચ્છા=સમ્યગ્બોધનો ઘણો ઉત્સાહ હોય. ||૧૦|| ભાવાર્થ :
(૧) સ્વાધ્યાયમાં ઉદ્યમ : ભાવશ્રાવક આત્મામાં વૈરાગ્ય પ્રગટ થાય તેવું અપૂર્વ શ્રુત ગ્રહણ કરે છે, જે સ્થાને સ્પષ્ટ નિર્ણય ન થાય ત્યાં ગુરુને પૃચ્છા કરે છે અને ગ્રહણ કરાયેલા પદાર્થોને પરાવર્તન કરી સ્થિર કરે છે. વળી, સ્થિર થયેલા પદાર્થોનો સૂક્ષ્મ બોધ કરવા અર્થે અનુપ્રેક્ષા કરે છે અને યોગ્ય જીવો પાસે ધર્મકથા કરે છે. ભાવશ્રાવક આ “પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં સર્વ ઉપાયથી સદા ઉદ્યમ કરે છે જેથી વૈરાગ્ય સદા વૃદ્ધિ પામે.
(૨) ક્રિયા કરવામાં ઉદ્યમ : વળી, ભાવશ્રાવક સ્વશક્તિ અનુસાર તપ કરવામાં, નિયમો ધારણ કરવામાં અને ગુણવાન સાધુ આદિને વંદન કરવામાં રાગને ધારણ કરે છે અને તેથી તપાદિ પ્રવૃત્તિમાં સદા સર્વ ઉપાયે ઉદ્યમ કરનાર બને છે. વળી, શક્તિ અનુસાર બીજાને કરાવવામાં યત્ન કરે છે અને અન્ય મહાત્માઓના તપ નિયમાદિના ઉદ્યમની અનુમોદના કરે છે; કેમ કે શ્રાવકને તપ નિયમાદિ કરવામાં અત્યંત રાગ છે.
(૩) વિનયમાં ઉદ્યમ : ગુણના નિધાન એવા મહાપુરુષો પ્રત્યે અભુત્થાનાદિ કરવારૂપે વિનય કરે છે જેના કારણે મનમાં ગુણવાન પુરુષો પ્રત્યે અત્યંત આદર થાય છે. આ રીતે ભાવશ્રાવક સર્વ ઉપાયથી વિનયમાં સદા ઉદ્યમ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org