________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૨/ગાથા-૬-૭
૭પ
ગાથા :
આયતને સેવે ગુણપોષ, પરગૃહગમને વાધે દોષ; ઉદભવેષ ન શોભા લાગ, વચનવિકારે જાગે રાગ. ૬ મોહતણો શિશુલીલા લિંગ, અનર્થદંડ અછે એ ચંગ;
કઠિન વચનનું જલ્પન જેહ, ધર્મીને નહિ સમ્મત તેહ. ૭ ગાથાર્થ :
ગુણને પોષે એવા આયતણને સેવે ગુણનું પોષણ થાય એવા ધર્મસ્થાનનું સેવન કરે, પરગૃહ ગમનમાં કોઈક ઉદ્દેશથી એકલા પર ઘરે જવામાં દોષ વાધે સ્ત્રી આદિ સાથે એકાંત પ્રાપ્ત થવાથી દોષો વધે, ઉદ્ભટ વેશથી શ્રાવક શોભાસ્પદ ન લાગે, વિકારી વયનો બોલવાથી રાગ થાય. IIII
શિશુલીલા મોહતણો લિંગ છે આથી એ ચંગ અત્યંત, અનર્થ દંડ છે, કઠિન વચનનું જે બોલવું તે ધર્મજનને સમત નથી. II ભાવાર્થ -
(૧) આયતન સેવે : શ્રાવક ધર્મની વૃદ્ધિ કરવા અર્થે ગુણનું પોષણ થાય એવા ધર્મસ્થાનોનું સેવન કરે જે શીલનો પ્રથમ ભેદ છે.
(૨) પરગૃહગમન ત્યાગ : વળી, શ્રાવક એકાંતમાં પરસ્ત્રી સાથે બેસવાનો પ્રસંગ આવે તેના વર્જન અર્થે પરગૃહમાં ક્યારેય એકલો જાય નહિ; કેમ કે પરગૃહ ગમનમાં તે પ્રકારના રાગાદિ વૃદ્ધિ થવાનો પ્રસંગ આવે.
(૩) ઉભટ વેશ ત્યાગ : શ્રાવક દેશકાળને શોભે નહિ તેવા ઉદ્ભટ વેશોનો ત્યાગ કરે; કેમ કે ઉદ્ભટ વેશ પહેરવાથી શ્રાવકની શોભા લાગે નહિ અને લોકોમાં ધર્મની હીનતા દેખાય.
(૪) વચનવિકાર ત્યાગ : વળી, શ્રાવક વિકારો પેદા કરાવે તેવી સ્ત્રીકથાદિના વચનોનો ત્યાગ કરે; કેમ કે તેવા વચનો બોલવાથી રાગ જાગે.
(૫) શિશુલીલા ત્યાગ : વળી, શ્રાવક બાળક જેવી હસવાની-તોફાન મસ્તીની ક્રિયાઓનો ત્યાગ કરે; કેમ કે તેવી બાળ ચેષ્ટાએ મોહના લિંગો છે અર્થાત્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org