________________
૭૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૨/ગાથા-૪-૫, ૬-૭ વિધિપૂર્વક શક્તિ અનુસાર તે મહાત્મા વ્રતો ગ્રહણ કરે છે અને વ્રતોનાં પાલનથી ઉત્તર ઉત્તરના વ્રત ગ્રહણની જેમ જેમ શક્તિ વધે છે તેમ તેમ તે વ્રતોને અતિશયિત-અતિશયિત કરે છે જેથી સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય છે.
વળી, ગ્રહણ કરાયેલા વ્રતો ઉદાર આશયપૂર્વક પાળે છે અર્થાત્ સ્વીકારાયેલા વ્રતોમાં ક્યાંય મલિનતા ન થાય તે રીતે યતનાના પરિણામપૂર્વક તે વ્રતોને તે મહાત્મા પાળે છે, અને ઉપસર્ગ પરિસહ આવે તો પણ તેને સહન કરે છે. પરંતુ વ્રતોને મલિન કરતા નથી. આવા ભાવશ્રાવક કૃતવ્રતકર્મા નામના પ્રથમ ગુણવાળા છે. ll
અવતરણિકા :
હવે, શીલાધાર ગુણને સ્પષ્ટ કરવા અર્થે તેના “છ” ભેદો બતાવે છે – ગાથા :
સેવે આયતણા ઉદ્દેશ, પરગૃહ તજે અણુબ્લડ વેસ;
વચનવિકાર ત્યજે શિશુલીલ, મધુર ભણે એ ષવિધ શીલ. ૫ ગાથાર્થ :
સેવે આયતણા=જ્યાં ધર્મીજનો ભેગા થતા હોય તેવા સ્થાનનું સેવન કરે, ઉદ્દેશ પરગૃહ તજે કોઈક ઉદ્દેશથી પરની પાસે જવું હોય તો પરગૃહમાં એકલા જાય નહિ, વળી, અણુબભs વેશ તજે, વયનવિકાર ત્યજે વિકાર પેદા કરાવે તેવા સ્ત્રીકથાદિ વચનો બોલે નહિ, શિશ્લીલ ત્યજે બાળ જેવી ચેષ્ટ ન કરે અર્થાત્ વિચાર્યા વગર પોતાના વ્રતને દૂષણ લાગે તેવી ચેષ્ટ ન કરે, મધુર ભણે સામાને પ્રીતિ ઉત્પન્ન થાય તેવા વચનો બોલે, એ “છ” પ્રકારનું શીલ છે. ITI અવતરણિકા :
પૂર્વગાથામાં ભાવશ્રાવકના શીલાધારરૂપ બીજા ભેદના આયતણાદિ “છ” પ્રકારો છે તેમ કહ્યું. હવે ગાથા-૬ અને ૭થી તે ‘છ પ્રકારો બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org