________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૨/ગાથા-૩-૪
૭૩ અર્થ-શ્રવણાદિ “ચાર' ભેદોનો અર્થ, આ પ્રમાણે=આગળમાં કહેવાય છે એ પ્રમાણે, અવતારીએ બુદ્ધિમાં અવધારણ કરીએ. ll3II અવતરણિકા :
પૂર્વ ગાથામાં ભાવશ્રાવકના કૃતવ્રતકર્મારૂપ પ્રથમ ભેદના શ્રવણાદિ ચાર પ્રકારો છે તેમ કહ્યું. તેથી હવે તે “ચાર' પ્રકારો બતાવે છે –
ગાથા :
બહુમાણે નિસુણે ગીયર્થી, પાસે ભંગાદિક બહુ અત્ય;
જાણ ગુરુ પાસે વ્રત ગ્રહે, પાલે ઉપસર્ગાદિક સહે. ૪ ગાથાર્થ :
બહુમાનથી ગીતાર્થ પાસે નિસુણે સાંભળે, એ શ્રવણરૂપ પ્રથમ ભેદ છે. ભંગાદિક બહુ અર્થ જાણ જાણે, તે જાણણારૂપ બીજો ભેદ છે, ગુરુ પાસે વ્રત ગ્રહણ કરે તે ગ્રહણરૂપ ત્રીજો ભેદ છે, ઉપસર્ગાદિ સહન કરીને વ્રતો પાળે તે ઉદાર પ્રતિસેવારૂપ ચોથો ભેદ છે. III ભાવાર્થ :
પૂર્વ ઢાળમાં વર્ણન કર્યું તેવા ‘એકવીસ' ગુણોને ધરાવનાર અને સંસારથી ભય પામેલ એવા યોગ્ય જીવો સર્વવિરતિના અર્થી બને અને સર્વવિરતિની શક્તિના સંચય અર્થે દેશવિરતિ સ્વીકારે છે. તે દેશવિરતિ કઈ રીતે સ્વીકારે છે અને કઈ રીતે પાળે છે તે સ્પષ્ટ કરતા કહે છે.
પ્રથમ ગીતાર્થ ગુરુ પાસે અત્યંત બહુમાનપૂર્વક શ્રાવકના વ્રતોને સાંભળે છે શ્રવણ ગુણરૂપ છે. વળી, સાંભળવા માત્રથી તે શ્રવણક્રિયા સફળ થતી નથી, તેથી તે વ્રતોના સર્વ વિકલ્પોનો યથાર્થ બોધ થાય તે રીતે અત્યંત ઉપયોગપૂર્વક તે મહાત્મા શ્રવણ કરે છે. વળી, તે શ્રવણની પ્રવૃત્તિ દ્વારા દરેક વ્રતોના કેટલા ભાંગા થાય છે ઇત્યાદિ દ્વારા તે વ્રતોના અર્થને તે મહાત્મા જાણે છે અર્થાત્ જેમ ભાંગાથી વ્રતોના અર્થોને જાણે છે તેમ અતિચારાદિથી પણ વ્રતોના અર્થોને જાણે છે. આ રીતે વ્રતોના અર્થોનો યથાર્થ બોધ કર્યા પછી ગુરુ પાસેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org