________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૧/ગાથા-૨૧
૬૯
ગાથા :
પૂરણગુણ ઉત્તમ કહ્યો, મધ્યમ પાળે હીન;
અદ્ધહીન જઘન્ય જન, અપર દરિદ્રી દીન. ૨૧ ગાથાર્થ :
પૂર્ણ ગુણથી ઉત્તમ કહ્યો-“એકવીસ” ગુણોથી યુક્ત ધર્મને યોગ્ય પુરુષ ઉત્તમ કહ્યો, પાદમાં હીન પા ભાગમાં હીન મધ્યમ કહેવાય. અર્ધહીન પુરુષ જઘન્ય કહેવાય, એના સિવાયના બીજા દરિદ્ર દીન છે= અકલ્યાણને જોનારા છે ધર્મને માટે અનધિકારી છે. ||૧|| ભાવાર્થ -
પૂર્વમાં વર્ણન કર્યું એવા “એકવીસ' ગુણોથીયુક્ત પુરુષને શાસ્ત્રકારો ધર્મ સેવવા માટે ઉત્તમ પુરુષ કહે છે. વળી, કોઈક પુરુષમાં તે “એકવીસ” ગુણોમાંથી પા” ભાગ હીન હોય તો તે ધર્મ માટે મધ્યમ પ્રકારનો કહેવાય છે. અને “એકવીસ ગુણોમાંથી અર્ધા ગુણો ઓછા હોય અર્થાત્ અર્ધા જ ગુણો હોય તો તે પુરુષ ધર્મ માટે જઘન્ય કહ્યો છે અને અર્ધાથી પણ ઓછા ગુણોવાળા જીવો દરિદ્ર કહેવાય છે અર્થાત્ ધર્મ સેવવા માટે અનધિકારી છે અને તેઓ દીન છે અર્થાત્ કલ્યાણને જોવા માટે સમર્થ નથી.
આનાથી એ પ્રાપ્ત થાય કે, ધર્મ એ માત્ર આચરણારૂપ નથી, પરંતુ આચરણા કરીને આત્માને ગુણોથી સમૃદ્ધ બનાવવા સ્વરૂપ છે અને જેમાં પૂર્વમાં વર્ણન કરાયેલા “એકવીસ” ગુણોમાંથી કોઈ ગુણો નથી કે માત્ર બે-ચાર ગુણો હોય તેઓ ગુણની નિષ્પત્તિને અનુકૂળ ભૂમિકાને પામેલા નથી, પરંતુ પ્રચૂર મોહથી આકુળ ભૂમિકાવાળા છે, તેવા જીવો ધર્મની ક્રિયા કરીને પણ ગુણની નિષ્પત્તિ કરી શકે નહિ. માટે તેઓને ધર્મના અનધિકારી કહ્યા છે. રિવII
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org