________________
ઉ૪
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૧/ગાથા-૧૫-૧૬
અવતરણિકા :હવે સત્કથા ગુણ બતાવે છે –
ગાથા :
અશુભકથા કલુષિત મતિ, નાસે રતન વિવેક;
ધર્માર્થી સતકથ હુએ, ધર્મનિદાન વિવેક. ૧૫ ગાથાર્થ :
અશુભ કથાથી કલુષિત થયેલી મતિથી વિવેક રત્ન નાસે નાશ પામે છે. તે કારણથી ધર્માર્થી સતકથાવાળા થાય; કેમ કે ધર્મનું નિદાન-ધર્મનું કારણ, વિવેક છે. ll૧પ. ભાવાર્થ -
(૧૩) સ્ત્રીઆદિની અશુભકથા કરવાથી મતિ હંમેશા મોહથી આકુળ થાય છે અને મોહથી આકુળ થયેલી મતિને કારણે જીવમાં હિતાહિતને અનુકૂળ ઉચિત વિચારણારૂપ વિવેક રત્ન નાશ પામે છે અને જીવ મોહને પરવશ થઈને પ્રવૃત્તિ કરે છે. તેથી ધર્માર્થી જીવ સત્કથા કરનારા હોય છે અર્થાત્ ઉત્તમ પુરુષોના ચરિત્રોનું વાંચન કરે કે તેની વિચારણા કરે કે જેથી આત્મામાં વિવેક જાગૃત રહે. અહીં પ્રશ્ન થાય કે ધર્માર્થી વિવેકને જાગૃત રાખવા માટે સત્કથામાં પ્રયત્ન કેમ કરે છે ? તેથી કહે છે - ધર્મનું કારણ વિવેક છે માટે વિવેકને અત્યંત જાગૃત કરવા ધર્મના અર્થી સત્કથામાં ઉદ્યમ કરે છે. ll૧પણા અવતારણિકા :
હવે સુપક્ષ ગુણ બતાવે છે – ગાથા :
ધર્મશીલ અનુકૂલ યશ, સદાચાર પરિવાર;
ધર્મ સુપફખ વિઘનરહિત, કરી શકે તે સાર. ૧૬ ગાથાર્થ :જેનો પરિવાર ધર્મશીલ હોય અર્થાત ધાર્મિક હોય, અનુકૂળ હોય ધર્મમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org