________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૧/ગાથા-૧૩-૧૪
૬૩ વળી, આવા જીવો સદા ગુણનો સંયોગ કરનારા હોય છે અર્થાત્ ગુણવાન પુરુષોના સંયોગ દ્વારા પોતાનામાં ગુણો પ્રગટ થાય તેમાં યત્ન કરનારા હોય છે અને દોષોને દૂર કરવા માટે સદા ઉદ્યમ કરનારા હોય છે. I૧૩ના અવતરણિકા :
હવે ગુણરાગી ગુણ બતાવે છે – ગાથા :
ગુણરાગી ગુણ સંગ્રહે, દૂસે ન ગુણ અનંત;
ઉવેખે નિર્ગુણ સદા, બહુમાને ગુણવંત. ૧૪ ગાથાર્થ –
ગુણરાગી જીવો ગુણનો સંગ્રહ કરે છે અને અનંત ગુણોને દૂષણ આપતા નથી જીવના મોક્ષને અનુકૂળ એવા અપરિમિત ગુણો છે. તેમાંથી કોઈ ગુણને દૂષણ આપતા નથી. વળી, નિર્ગુણી જીવોની સદા ઉપેક્ષા કરે છે અને ગુણવંત પુરુષો પ્રત્યે બહુમાન ધારણ કરે છે. ll૧૪ll ભાવાર્થ :
(૧૨) મોહધારાની મંદતાથી આત્મામાં ગુણો પ્રગટે છે અને તે ગુણો પ્રકર્ષને પામીને સિદ્ધાવસ્થામાં પૂર્ણતાને પામે છે અને તેવા ગુણો પ્રત્યે જેમને રાગ છે તેવા જીવો ગુણનો સંગ્રહ કરવા માટે ઉદ્યમ કરે છે. આવા જીવોને કોઈપણ જીવોમાં માર્ગાનુસારી ગુણ દેખાય તો તેના પ્રત્યે પક્ષપાતવાળા થાય છે અને માર્ગાનુસારી ગુણોમાંથી કોઈપણ ગુણ કોઈનામાં હોય તો તેને દૂષણ આપતા નથી. વળી, આવા ગુણરાગી જીવો નિર્ગુણ જીવોની ઉપેક્ષા કરે છે અને ગુણવાન પુરુષો પ્રત્યે બહુમાનવાળા થાય છે.
અહીં માર્ગાનુસારી શબ્દથી પ્રાથમિક ભૂમિકાના માર્ગાનુસારીના ‘પાંત્રીસ ગુણો માત્ર ગ્રહણ કરવાના નથી, પરંતુ મોક્ષમાર્ગને અનુસરનારા સર્વ ગુણો ગ્રહણ કરવાના છે અને તેના પ્રત્યે ગુણરાગી જીવોને પક્ષપાત હોય છે. ll૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org