________________
ઉપ
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૧/ગાથા-૧૬-૧૭ અવિળકારી હોય, વળી, સુંદર યશવાળો હોય, સદાચારવાળો હોય, તેવા પરિવારવાળો પુરુષ ધર્મ સુપક્ષ કહેવાય છે અને તેeતે પુરુષ વિપ્ન રહિત સાર=સુંદર ધર્મ કરી શકે. I૧૬ll ભાવાર્થ -
(૧૪) જે પુરુષનો પરિવાર ઉત્તમ ગુણોવાળો હોય તે પુરુષ સુંદર પક્ષવાળા પરિવારવાળો કહેવાય અને તેનો પરિવાર કેવો હોય તે સ્પષ્ટ કરતાં કહે છે. ધર્મશીલ હોય અર્થાત્ જેમ તે પુરુષ ધર્મ કરવા માટે તત્પર હોય છે તેમ તેનો પરિવાર પણ ધર્મ કરવાના સ્વભાવવાળો હોય છે. વળી, પરિવાર પ્રકૃતિથી ગુણવાળો હોવાથી ધર્મને અનુકૂળ હોય છે પરંતુ ધર્મમાં વિજ્ઞકારી બનતો નથી. વળી, તેનો પરિવાર સુંદર યશવાળો અને સદાચારવાળો હોય છે. આવો જીવ ધર્મ સુપક્ષવાળો કહેવાય જે સુંદર ધર્મને વિધ્વરહિત એવી શકે છે. ll૧છા અવતરણિકા :
હવે દીર્ઘદર્શી અને વિશેષજ્ઞ ગુણો બતાવે છે – ગાથા :
માંડે સવિ પરિણામહિત, દીરઘદર્શી કામ;
લહે દોષ ગુણ વસ્તુના, વિશેષજ્ઞ ગુણધામ. ૧૭ ગાથાર્થ -
દીર્ઘદર્શી પુરુષ સવિ કામ-સર્વ કાર્યો, પરિણામને હિત કરનારા માંડે પ્રારંભ કરે, વળી, વિશેષજ્ઞ પુરુષ ગુણનું ધામ હોય છે ગુણનું સ્થાન હોય છે. અને વસ્તુના ગુણ-દોષને જાણે. ll૧૭ll ભાવાર્થ –
(૧૫) દીર્ઘદૃષ્ટિ પુરુષ હંમેશા પારિણામિકી બુદ્ધિવાળો હોય છે. તેથી તે જે પ્રવૃત્તિ કરે તેના પરિણામનો ઉચિત નિર્ણય કરીને પ્રવૃત્તિનો પ્રારંભ કરે છે, પરંતુ વિચાર્યા વગર કોઈ પ્રવૃત્તિનો પ્રારંભ કરતો નથી.
(૧૬) વળી, વિશેષને જાણનારા પુરુષો સચેતન-અચેતન વસ્તુના અથવા ધર્મ-અધર્મ હેતુના ગુણોને અને દોષોને યથાર્થ જાણનારા હોય છે. તેથી વિશેષનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org