________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૧/ગાથા-૧, ૨થી ૪
પપ
છે
ઢાળ અગિયારમી (રાગઃ દૂહા અથવા સુરતી મહીનાની દેશી)
પૂર્વ ઢળ સાથે સંબંધ :
પૂર્વ ઢાળમાં કહ્યું કે જ્ઞાન વગરની ક્રિયાથી દોષની પ્રાપ્તિ થાય છે અને તેનાથી કર્મબંધની પ્રાપ્તિ થાય છે. વળી, પૂર્વ ઢાળની ગાથા-૨૦માં કહ્યું કે શાંત ઉદાત્ત ગુણ વગરના જીવો ક્રિયાથી દુઃખની પ્રાપ્તિ કરે છે. તેથી ધર્મ અનુષ્મતથી સુખની પ્રાપ્તિના અર્થીએ શાંત ઉદાત્ત ગુણને કેળવવો જોઈએ. હવે, ધર્મની યોગ્યતા માટે કેવા ગુણો આવશ્યક છે તે બતાવવા અર્થે કહે
ગાથા :
એકવીસ ગુણ પરિણમેં, જાસ ચિત્ત નિતમેવ;
ધરમરતનની યોગ્યતા, તાસ કહે તૂ દેવ ! ૧ ગાથાર્થ :
જેના ચિત્તમાં નિત્ય જ “એકવીસ' ગુણો પરિણમન પામે તેને હે દેવ! તમે ધર્મરત્નની યોગ્યતા કહો છો. IfIl ભાવાર્થ :
આગળની ગાથાઓમાં બતાવાશેએ “એકવીસ ગુણો જે જીવોને પ્રાપ્ત થયા છે અથવા તે ગુણોને જાણીને તે ગુણોને પ્રગટ કરવા માટે જે યત્ન કરે છે તેના ચિત્તમાં તે ગુણો હંમેશા વર્તે છે અને તેવા જીવો ધર્મરત્નને યોગ્ય છે એમ ભગવાન કહે છે. આવા
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ધર્મની યોગ્યતા માટે “એકવીસ ગુણોની આવશ્યકતા છે તેથી ગાથા-૨થી ૪ સુધી ‘એકવીસ ગુણોના નામો બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org