________________
૫૪
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૨૧
પ્રવર્તે છે તેથી તે કષાય નાશને અભિમુખ છે અને જે નાશ પામતું હોય તે નષ્ટ છે એ નિયમ પ્રમાણે તે મહાત્મા ક્રિયાકાળમાં કષાયના અભાવવાળા છે અને તે શાંત પરિણામ છે.
વળી, જીવમાં જે તત્ત્વને જોવાને અનુકૂળ ગંભીરતા છે તે ઉદાત્તતા છે તેથી પોતે જે ક્રિયા કરે છે તેના ૫૨માર્થને ગંભીરતાપૂર્વક જાણીને તે ક્રિયા દ્વારા ઊંચી ઊંચી ભૂમિકાને પ્રાપ્ત કરવાના અભિલાષવાળા બને છે, તે તેમનો ઉદાત્ત આશય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો ક્રિયાકાળમાં શાંત છે, તેથી ધર્મ ક્રિયા દ્વારા કષાયના ઉચ્છેદમાં પ્રવૃત્ત છે અને ઉ૫૨ ઉ૫૨ની ભૂમિકાને પ્રાપ્ત કરવામાં બદ્ધ અભિલાષવાળા છે તેઓ ઉદાત્ત છે અને આ બે ગુણોથી યુક્ત જીવો ક્રિયા કરીને સુખની પ્રાપ્તિ કરી શકે છે અને આવા જીવો ક્રિયાના દોષનો બોધ કરીને તેનો ત્યાગ કરે તો તે ધીર પુરુષો સુખ અને યશને પ્રાપ્ત કરે અર્થાત્ મસ૨ મોહના અભાવને કારણે સુખ પ્રાપ્ત કરે અને પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને કારણે સદ્ગતિઓની પરંપરા દ્વારા યશને પ્રાપ્ત કરે. II૨૧॥
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org