________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૦/ગાથા-૨૦-૨૧ પ૩ ક્રિયાના આસ્વાદના બીજભૂત શાંતઉદાત્તપરિણામ છે એમ કહ્યું. તેનો અર્થ એ છે કે જેના ચિત્તમાં સંસારના સ્વરૂપના સમાલોચનથી કંઈક વિકારો શાંત થયા છે તેથી સુંદર ધર્માનુષ્ઠાનોથી અધિક શાંતતા પ્રગટ કરી શકે તેવું ચિત્ત છે અને ઉદાત્ત એટલે ગંભીરતાપૂર્વક વિચારનાર છે તેથી સત્ ક્રિયાઓ કરીને વિશેષ વિશેષ ગુણોને પ્રગટ કરવા માટે બદ્ધ પરિણામવાળા છે. આવા જીવો સત્ ક્રિયાઓ કરીને મોહની અનાકૂળતારૂપ અધિક અધિક સ્વસ્થતા મેળવે છે તેવા જીવોને ક્રિયાથી સુખ થાય છે, અન્ય જીવોને નહિ. ll૨ના અવતરણિકા:
પૂર્વગાથામાં કહ્યું કે શાંત અને ઉદાત્ત ગુણ વગર ક્રિયાની પ્રવૃત્તિથી દુઃખની પ્રાપ્તિ છે. માટે કલ્યાણના અર્થીએ શાંત અને ઉદાત્ત ગુણને પ્રગટ કરવા ઉદ્યમ કરવો જોઈએ. તેથી હવે શાંત ઉદાત્તનું સ્વરૂપ બતાવે છે – ગાથા :
શાન્ત તે કષાય અભાવથી રે, જે ઉદાત્ત ગભીર રે;
કિરિયાદોષ લહી ત્યજે રે, તે સુખ જશભર ધીર રે. પ્રભુ ! ૨૧ ગાથાર્થ :
શાંત તે કષાયના અભાવથી થાય છે અને ઉદાત જે ગંભીર પરિણામ છે. ક્રિાના દોષને જાણીને ત્યાગ કરે-ક્રિયાના દોષનો ત્યાગ કરે, તે ધીર સુખ જશ ભર-સુખ અને યશથી ભરપૂર થાય. ર૧] ભાવાર્થ:
સંસાર અવસ્થામાં મોહથી આકુળ જીવો કષાયવાળા છે અને તે કષાયને વશ સંસારની પ્રવૃત્તિઓ કરીને કાષાયિક ભાવોની વૃદ્ધિ કરે છે અને કોઈક રીતે જે જીવોનું ચિત્ત સંસારથી પરામ્ખ બન્યું છે અને આત્મામાં ગુણ પ્રગટ કરવાના પરિણામવાળું થયું છે તે જીવો ધર્મ અનુષ્ઠાન કાળમાં તે તે ધર્મની પ્રવૃત્તિ કરીને ગુણ નિષ્પત્તિને અનુકૂળ વ્યાપાર કરતા હોય ત્યારે તેઓમાં વર્તતો કષાયનો ભાવ વીતરાગતાદિ ગુણોને અવલંબીને વીતરાગભાવને અભિમુખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org