________________
૫૦
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૧૮-૧૯
સમાન પ્રીતિ ધારણ કરવી જોઈએ અને ઉચિત કાળે ઉચિત અનુષ્ઠાન અત્યંત પ્રીતિપૂર્વક સેવવું જોઈ. જેથી ત ્ ચિત્ત, તદ્ લેશ્યા, તદ્ મન થઈને તે અનુષ્ઠાનનું સેવન થાય. પરંતુ અજ્ઞાનને કારણે મોક્ષના અર્થી જીવને પણ સર્વજ્ઞે બતાવેલા સર્વ અનુષ્ઠાનમાંથી કોઈક અનુષ્ઠાન પ્રત્યે વિશેષ પ્રીતિ હોય છે. તેથી પોતે જે અનુષ્ઠાન તે વખતે સેવે છે તે અનુષ્ઠાનની અંદર હર્ષ ધારણ કરી શકતા નથી, પરંતુ બીજા અનુષ્ઠાનમાં હર્ષને ધારણ કરે છે અને જે અધ્યયનાદિરૂપ બીજા અનુષ્ઠાનમાં તે મહાત્મા હર્ષને ધારણ કરે છે તે અનુષ્ઠાનમાં અકાળે પ્રીતિ હોવાથી તે અનુચિત પ્રીતિ છે. તેથી તે પ્રીતિથી પાત્ર અનુષ્ઠાનમાં અંગારાની વર્ષા થાય છે અર્થાત્ તે પ્રીતિ તે અનુષ્ઠાનને સફળ કરવા કારણ બનતી નથી પરંતુ પૂર્વમાં તે અનુષ્ઠાન સેવીને જે ઉચિત પ્રવૃત્તિ કરવાના સંસ્કારો નાખેલા તે સંસ્કારોમાં અંગારાની વર્ષા થાય છે અર્થાત્ તે ઉત્તમ સંસ્કારોને નાશ કરે છે. પરમાર્થથી તો વિવેકીએ જે કાળમાં જે અનુષ્ઠાન જે રીતે વિહિત છે તે રીતે તે અનુષ્ઠાનને સેવવામાં પ્રીતિપૂર્વક ઉદ્યમ કરવો જોઈએ, છતાં અજ્ઞાનને વશ જીવો અન્યમુદ્દોષ સેવીને અન્ય સદનુષ્ઠાન વિષયક અનુચિત પ્રીતિ કરીને અનુચિત પ્રવૃત્તિ કરવાના સંસ્કારોનું આધાન થાય છે. માટે અજ્ઞાનથી કરાતી ક્રિયામાં કર્મબંધની પ્રાપ્તિ છે. ૧૮
અવતરણિકા :
વળી, અજ્ઞાનને કારણે ક્રિયામાં થતા રોગદોષના અનર્થને બતાવે
છે
--
51121 :
રોગ હોએ સમજણ વિના રે, પીડાભંગસ્વરૂપ રે;
શુદ્ધક્રિયા ઉચ્છેદથી રે, તેહ વધ્યફલરૂપ રે. પ્રભુ ! ૧૯ !
ગાથાર્થ ઃ
સમજણ વિના=આ ક્રિયા આ રીતે સમ્યગ્ કરવાની છે તેના સૂક્ષ્મ બોધ વગર, રોગ હોએ=ક્રિયામાં રોગદોષ થાય અને તે રોગદોષ પીડા અને ભંગસ્વરૂપ છે. શુદ્ધ ક્રિયાના ઉચ્છેદથી=ક્રિયામાં રોગદોષની પ્રાપ્તિને કારણે શુદ્ધ ક્રિયાનો ઉચ્છેદ થવાથી, તેહ=તે ક્રિયા, વલ્ક્યફળરૂપ થાય= ક્રિયાથી અભિમત ફળનો અભાવ થાય. ||૧૯॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org