________________
શ્રી
૪૮ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૧૦/ગાથા-૧૬-૧૭ જોડાય તોપણ તે ક્રિયાથી નિર્લેપ એવું સુંદર ફળ મળતું નથી અને જો તે યોગી ક્ષેપદોષ વગર સતત તે ક્રિયામાં ચિત્તને પ્રવર્તાવી શકે તો તે ક્રિયાથી પૂર્વ પૂર્વ કરતા વિશેષ નિર્લેપતાની પ્રાપ્તિ થાય છે, કેમ કે સમ્ય સેવાયેલા ધર્મ અનુદ્ધનથી નિર્લેપ ભાવની વૃદ્ધિ થાય છે. ૧ાા અવતરણિકા -
વળી, અજ્ઞાનને કારણે આસંગદોષથી શું અર્થ થાય છે તે બતાવે છે - ગાથા :
એક જ ઠામે રંગથી રે, કિરિયામાં આનંગ રે;
તેહ જ ગુણઠાણે થિતિ રે, તેહથી ફલ નહી ચંગ રે. પ્રભુ! ૧૭ ગાથાર્થ -
એક જ સ્થાનમાં રંગથી ક્યિા કરવામાં આવે પરંતુ પોતે જે ભૂમિકામાં હોય તે ભૂમિકાની ક્રિયા કરીને ઉત્તરની ભૂમિકાની ક્રિયા કરવામાં યત્ન ન કરાય તો આસંગદોષની પ્રાપ્તિ છે. તેથી તે અનુષ્ઠાનથી= આસંગદોષવાળા અનુષ્ઠાનથી, તે જ ગુણસ્થાનકમાં સ્થિતિ થાય છે પરંતુ ગુણસ્થાનકની વૃદ્ધિ થતી નથી તેહથી ચંગ ફળ નહિ=સુંદર ફળ મળતું નથી. ll૧૭ની ભાવાર્થ :
કોઈ મહાત્મા ભગવાને જે ક્રિયા જે ભાવપૂર્વક કરવાની કહી છે તે ભાવના પ્રણિધાનપૂર્વક તે ક્રિયા કરે અને તે ક્રિયાથી સંવેગના પરિણામોને પણ પ્રાપ્ત કરે. આમ છતાં પોતે જે ક્રિયા સ્વીકારી છે તે ક્રિયામાં જ રંગને ધારણ કરે અર્થાત્ તે ક્રિયા કરીને શક્તિ સંચય થયા પછી ઉત્તર ઉત્તરની ભૂમિકાની ક્રિયામાં યત્ન કરે નહીં તો તેઓની ક્રિયામાં આસંગ નામનો દોષ પ્રાપ્ત થાય છે અને આસંગ દોષવાળી ક્રિયા ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા કેવળજ્ઞાનના ફળને પ્રાપ્ત કરાવી શકતી નથી, પરંતુ પોતે જે ગુણસ્થાનકમાં છે ત્યાં જ તેની સ્થિતિ રહે છે તેથી તે ક્રિયાનું સુંદર ફળ નથી; કેમ કે ભગવાને બતાવેલી સર્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org