________________
૪૧
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૧૦-૧૧
(૩) હીનગુણવાળા જીવો પ્રત્યે કૃપાનો પરિણામ સિદ્ધિ આશય વગર પ્રગટે નહિ. અને આ ત્રણ પરિણામો પ્રગટ થવાથી જ યોગી મહાત્મા જેવા બને છે. આવા ઉત્તમ ભાવોની પ્રાપ્તિ અર્થે જ્ઞાનપૂર્વકની ક્રિયા કરવી જોઈએ. ॥૧૦॥ અવતરણિકા :
જ્ઞાન વગરની ક્રિયાઓ કરવામાં આવે તો પ્રણિધાન આદિના ક્રમથી સિદ્ધિ આશય પ્રગટે નહિ અને સિદ્ધિ આશય પછી વિનિયોગ નામનો આશય પ્રગટે છે, જેનાથી જન્માંતરમાં અવિચ્છિન્ન યોગમાર્ગની સંતતિ પ્રાપ્ત થાય છે. આવો શ્રેષ્ઠ વિનિયોગ આશય ન પ્રગટ થાય તો શું પ્રાપ્ત ન થાય ? તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
વિણ વિનિયોગ ન સમ્ભવે રે, પરને ધર્મે યોગ રે; તેહ વિના જન્માન્તરે રે, નહિ સંતતિસંયોગ રે. પ્રભુ ! ૧૧ ગાથાર્થ ઃ
વિનિયોગ વિણ=વિનિયોગ આશય વગર, પરને-યોગ્ય જીવોને, ધર્મમાં યોગ=યોજન, સંભવે નહિ અને તેના વગર=વિનિયોગ આશયથી બીજાને ધર્મમાં યોજન વગર, જન્માંતરમાં સંતતિનો સંયોગ થાય નહિ=પોતાને પ્રવાહરૂપે શ્રેષ્ઠ શ્રેષ્ઠતર એવા ધર્મનો સંયોગ થાય નહિ. I[૧૧]I
ભાવાર્થ:
સદનુષ્ઠાન કરનારા જીવો સમ્યજ્ઞાનપૂર્વક ક્રિયાઓ કરે તો પ્રણિધાનાદિ આશયના ક્રમથી સિદ્ધિ આશયને પામ્યા પછી પોતાને સિદ્ધ થયેલું અનુષ્ઠાન અન્યને નિષ્પન્ન કરાવવાના અધ્યવસાયવાળા થાય છે ત્યારે વિનિયોગ આશયપૂર્વક અન્યને તે ધર્મનો યોગ કરાવે છે. ઉત્તમ એવા વિનિયોગ આશયપૂર્વક અન્યમાં ધર્મનો યોગ કરવામાં આવે તો તેનાથી પ્રકૃષ્ટ પુણ્ય બંધાય છે અને તે વખતે આત્મામાં પરનું હિત કરવાના શુભ અધ્યવસાયના સંસ્કારો આધાન થાય છે. આ સંસ્કારોના બળથી મહાત્માને જન્માંતરમાં તે ઉત્તમ ધર્મની સંતતિનો યોગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org