________________
૪૦
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૦/ગાથા-૧૦ ઉપસ્થિતિ થાય તો તે મહાત્માનું મોક્ષમાર્ગમાં થતું પ્રયાણ ખૂલતા પામે છે તેથી વિધ્વજયનું જ્ઞાન ન હોય તો મોક્ષમાર્ગની પ્રવૃત્તિ સખ્યમ્ થઈ શકે નહિ તેમ ગાથા-૭માં બતાવી, ગાથા-૮માં મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં આવતા ત્રણ પ્રકારના વિદ્ગો બતાવ્યા અને ગાથા-૯માં તે વિધ્વજયનો ઉપાય બતાવ્યો. આ રીતે સમ્યજ્ઞાનપૂર્વક કોઈ સાધુ વિધ્વજય કરે તો તેનું મોક્ષમાર્ગમાં અવિચ્છિ ન પ્રયાણ થાય અને તે મોક્ષમાર્ગની પ્રવૃત્તિથી ક્રમે કરીને તે મહાત્માને સિદ્ધિનો આશય પ્રગટે અને જે મહાત્માને સિદ્ધિનો આશય ન પ્રગટે તે મહાત્મા કેવા ભાવો કરી શકે નહિ તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
વિનય અધિકગુણ સાધુનો રે, મધ્યમનો ઉપગાર રે;
સિદ્ધિ વિના હોવે નહિ રે, કૃપા હીનની સાર રે. પ્રભુ ! ૧૦ ગાથાર્થ :
અધિક ગુણવાળા સાધુનો વિનય, મધ્યમગુણવાળા જીવોનો ઉપકાર અને હીનગુણવાળા પ્રત્યે કૃપા સિદ્ધિ વગર=સિદ્ધિ આશય વગર, થાય નહિ. II૧૦ll ભાવાર્થ :
કોઈ સાધુ પ્રવૃત્તિ આશયપૂર્વક મોક્ષમાર્ગમાં પ્રયાણ કરતા હોય ત્યારે કંઈક સ્મલનાઓ થતી હોય તે સ્કૂલનાઓનું નિવારણ કરીને મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ કરે છે અને તે પ્રમાણમાં વિઘ્નો આવે તો તેને દૂર કરે તો અવિચ્છિન્ન પ્રયાણ ચાલુ રહે અને તે અવિચ્છિન્ન પ્રયાણ દ્વારા જ્યારે સિદ્ધિ આશય આવે ત્યારે તે સાધુને સંયમનો પરિણામ પ્રકૃતિરૂપે સિદ્ધ બને છે. જેમ બળભદ્ર મુનિ સિદ્ધિ આશયવાળા હતા, તેથી જંગલમાં હિંસક પ્રાણીઓ પણ તેમના સાનિધ્યમાં હિંસાનો ત્યાગ કરનારા થતા હતા અને તેવો સિદ્ધિનો આશય જ્ઞાન વગરની ક્રિયાથી પ્રગટે નહિ અને સિદ્ધિનો આશય આવે નહિ ત્યાં સુધી પ્રસ્તુત ગાથામાં બતાવેલ ત્રણ ભાવો પ્રગટ થાય નહિ. (૧) અધિક ગુણવાળા સાધુ પ્રત્યે વિનયનો પરિણામ (૨) મધ્યમગુણવાળા જીવો પ્રત્યે ઉપકારનો પરિણામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org