________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૦/ગાથા-૯-૧૦ ૩૯ ઉત્કૃષ્ટ વિપ્નથી સાધુની યોગમાર્ગની પ્રવૃત્તિ સ્કૂલના પામતી હોય તો ગુરુયોગમાં યત્ન કરવો જોઈએ. આ ત્રણેય પ્રકારના વિદ્ગોનું જોર જ્ઞાનના અભ્યાસ વગર થઈ શકે નહિ.
આશય એ છે કે માત્ર આસન જય કરીને શીત તાપાદિના પરિહારથી મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ થતું નથી, પરંતુ જ્ઞાનનો અભ્યાસ કરીને આત્માને શ્રુતથી વાસિત કરવામાં આવે અને શ્રુતાનુસારી ક્રિયાઓ કરવામાં આવે તો મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ થાય છે અને આ પ્રકારે અવિચ્છિન્ન પ્રયાણ કરતા સાધુને જઘન્ય વિઘ્ન ઉપસ્થિત થાય તો શાસ્ત્ર વિધિ અનુસાર આસનજયાદિ કરીને યોગમાર્ગમાં સ્કૂલના પામતી પ્રવૃત્તિને દૂર કરી શકે. વળી, સાધુ જ્ઞાન અભ્યાસ દ્વારા મોક્ષમાર્ગમાં પ્રયાણ કરતા હોય અને શરીરમાં અસહ્ય વ્યાધિ થાય તો તે પ્રયત્ન સ્કૂલના પામે છે ત્યારે સાધુ આહારાદિનો ત્યાગ કરીને કે અન્ય ઔષધાદિનો ઉપાય સેવીને કે આત્માને ભાવનાઓથી ભાવિત કરીને તે વિનને દૂર કરે તો મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ થાય. વળી, સુસાધુને કઈ રીતે ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ અને તે ઉચિત પ્રવૃત્તિ દ્વારા કઈ રીતે અંતરંગ મોહનો નાશ કરવો જોઈએ તે વિષયમાં દિગ્યોહ તુલ્ય મિથ્યાત્વના ઉદય કૃત ઉત્કૃષ્ટ વિદ્ધ પ્રાપ્ત થાય તો ગુરુના યોગથી યથાર્થ બોધ કરીને તે વિઘ્નનો જય સાધુ કરી શકે. માટે વિધ્વજયના અર્થીએ જ્ઞાનમાં ઉદ્યમ કરવો જોઈએ જેથી તેની ક્રિયા મોક્ષનું કારણ બને. ll ll
અવતરણિકા :
જ્ઞાન વગરની ક્રિયામાં થતા દોષથી કર્મબંધ થાય છે તેમ ગાથા-૨માં કહેલ અને જ્ઞાન પ્રાપ્તિ કરવાથી પ્રણિધાન આશય આવે છે અને તે પ્રણિધાન આશય વગર ક્રિયામાં દોષ છે તે ગાથા-પમાં કહેલ. વળી, જ્ઞાનની પ્રાપ્તિ કરવાથી પ્રણિધાન કરતા પણ વિશુદ્ધ એવો પ્રવૃત્તિ આશય પ્રગટે છે અને તે પ્રવૃત્તિ આશય વગર ક્રિયામાં દોષ છે તે ગાથા-૬માં કહેલ. વળી, કોઈ સાધુ જ્ઞાનનો અભ્યાસ કરીને પ્રણિધાન આશયપૂર્વક મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય અને ક્રમે કરીને પ્રવૃત્તિ આશયને પામ્યા હોય તો મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ કરી શકે છે. પરંતુ વિપ્નોની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org