SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૧૧-૧૨ થાય છે, જેના બળે શીઘ્ર પ્રકૃષ્ટ ધર્મને પામીને તે મહાત્મા સંસારનો અંત કરે છે. હવે જો સમ્યગ્નાનપૂર્વક ક્રિયાઓ કરવામાં ન આવે તો પ્રણિધાનાદિ આશયના ક્રમથી વિનિયોગ આશયની પ્રાપ્તિ થાય નહિ તેથી પ૨ને ધર્મમાં યોજન કરવાની પ્રવૃત્તિનો સંભવ રહે નહિ અને તેના વગર જન્માંતરમાં ઉત્તમ ધર્મની સંતતિ પ્રાપ્ત થાય નહિ. માટે મોક્ષના અર્થી જીવે જ્ઞાનપૂર્વક ક્રિયાઓ કરવામાં યત્ન કરવો જોઈએ. II૧૧॥ અવતરણિકા : જ્ઞાન વગર ક્રિયાઓ કરવાથી પ્રણિધાનાદિ આશયો થાય નહિ. તેથી તે ક્રિયાઓ મોક્ષનું કારણ બને નહિ તેમ અત્યાર સુધી બતાવ્યું. હવે અજ્ઞાનને કારણે ક્રિયાઓમાં ખેદાદિ આઠ દોષોની પ્રાપ્તિ થાય છે તે ક્રમસર બતાવે છે - 51121: કિરિયામાં ખેદે કરી રે, દૃઢતા મનની નાંહિ રે; મુખ્યહેતુ તે ધર્મનો, જિમ પાણી કૃષિમાંહિ રે. પ્રભુ ! ૧૨ ગાથાર્થ : ક્રિયામાં ખેદે કરી=ખેદ દોષને કારણે, મનની દૃઢતા આવે નહિ, તે=મનની દૃઢતારૂપ પ્રણિધાન આશય, ધર્મનો મુખ્યહેતુ છે જેમ ખેતીમાં પાણી. II૧૨૩ ભાવાર્થ : કોઈ જીવો આત્મકલ્યાણ અર્થે તત્પર થયા હોય અને ધર્મના અનુષ્ઠાનો સેવતા હોય પરંતુ આ ધર્મ અનુષ્ઠાનો કયા કયા દોષોથી રહિત સેવવા જોઈએ એનું જ્ઞાન ન હોય તો ખેદ દોષથી અનુષ્ઠાન સેવે છે અને તેથી તેનું અનુષ્ઠાન નિષ્ફળ જાય છે, તે બતાવતાં કહે છે - ક્રિયામાં ખેદદોષને કારણે આત્મામાં ઉત્તમ સંસ્કારોને આધાન કરવાને અનુકૂળ મનની દઢતા વગરની ક્રિયા છે અને ક્રિયાની પ્રવૃત્તિ દ્વારા આત્મામાં ધર્મને નિષ્પન્ન કરવા પ્રત્યે મનની દૃઢતા મુખ્ય હેતુ છે. જેમ ખેતીની પ્રવૃત્તિ કર્યા પછી પાણી સિંચન કરવામાં ન આવે તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy