________________
૨૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૨૭-૨૮ અપ્રમાણ કરવામાં આવે તો આજના અલ્પ શુભમતિવાળા સાધુઓ તેનું યથાર્થ જોડાણ કઈ રીતે કરી શકે ? અર્થાત્ કરી શકે નહિ. જેમ અમૃતની સાથે લૂણની તુલના કરી શકાય નહિ તેમ અમૃત જેવા પૂર્વના મહાપુરુષોની શુભમતિ સાથે વર્તમાનના સાધુની લૂણ તુલ્ય શુભમતિની તુલના થઈ શકે નહિ, માટે અર્થને પ્રમાણ માનવો જોઈએ. ll૧૭ના અવતરણિકા :વળી, અન્ય દૃષ્ટિથી પણ અર્થને પ્રમાણ માનવાની યુક્તિ આપે છે –
ગાથા :
રાજાસરીખું સૂત્ર છે, મંત્રી સરિખો અર્થ; જિનાજી!
એહમાં એકે હીલીઓ, દિયે સંસાર અનર્થ. જિનજી ! ૨૮ ગાથાર્થ :
રાજા સરીખું સૂત્ર છે અને મંત્રી સરીખો અર્થ છે. એ બેમાં એકની હીલનાએ સંસારના પરિભ્રમણરૂપ અનર્થની પ્રાપ્તિ થાય. ૨૮ll ભાવાર્થ –
જેમ રાજા રાજ્ય વ્યવસ્થા ચલાવે છે અને પ્રજાનો યોગક્ષેમ કરે છે તોપણ નિપુણ પ્રજ્ઞાવાળા મંત્રીની સહાય વિના રાજા રાજ્યનું અને પ્રજાનું રક્ષણ કરી શકે નહિ તેથી રાજ્યના રક્ષણના ઉપાયોમાં થતા ગૂંચવાળાઓનો ઉકેલ મંત્રી જ કરે છે, રાજા કરી શકતા નથી. તેમ આગમ વચન આત્મા ઉપર અનુશાસન લાવીને આત્માનું દુર્ગતિઓથી રક્ષણ કરે છે. તેથી રાજા જેવું આગમ વચન છે, પરંતુ તે આગમના યથાર્થ અર્થની પ્રાપ્તિ વગર જીવોનું રક્ષણ થાય નહિ અને યથાર્થ અર્થની પ્રાપ્તિમાં જે ગુંચવાળા થાય તે ગુંચવાળાનો ઉકેલ મંત્રી સ્થાનીય અર્થ કરી શકે છે જેથી આગમનો યથાર્થ અર્થ પ્રાપ્ત થાય અને તે અર્થથી ભાવિત થઈને આગમવચનના બળથી આત્મા દુર્ગતિના પાતથી રક્ષિત થાય છે. તેથી સંસારથી રક્ષણ કરવાના ઉપાયભૂત સૂત્ર અને અર્થ બેમાંથી કોઈ એકની પણ હીલના કરવામાં આવે તો સંસારના પરિભ્રમણરૂપ અનર્થની પ્રાપ્તિ થાય માટે અર્થને પણ પ્રમાણ તરીકે સ્વીકારવો જોઈએ. ૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org