________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૨૧થી ૨૫, ૨૬
વળી, અનુયોગદ્વારમાં કહ્યું છે કે નિક્ષેપા અનેક પ્રકારના છે. આમ છતાં જ્યાં અધિક નિક્ષેપા પ્રાપ્ત ન થાય ત્યાં પણ જઘન્યથી ‘ચાર’ નિક્ષેપા છે તેમ કહેલ છે અને તે પ્રમાણે વિચારીએ તો જીવ, અજીવ, ધર્માસ્તિકાય આદિ મૂળ દ્રવ્યમાં દ્રવ્યનિક્ષેપાનો ભેદ ઘટતો નથી; કેમ કે દ્રવ્યનિક્ષેપાનો અર્થ છે કે જે વર્તમાનમાં દેવ નથી પરંતુ ભવિષ્યમાં દેવ થનારા છે તે દ્રવ્યદેવ છે. આથી સાધુને દ્રવ્યદેવ કહેવામાં આવે છે અને એ રીતે વિચારીએ તો જે વર્તમાનમાં જીવ નથી અને પછી જીવ થશે તે દ્રવ્યજીવ કહેવાય અને જગતમાં તે પ્રમાણે જીવ-અજીવ આદિ મૂળ દ્રવ્યો પ્રાપ્ત થતા નથી; કેમ કે જીવ-અજીવ આદિ દ્રવ્યો શાશ્વત છે. પૂર્વમાં જીવ ન હોય અને પછી જીવ થાય તેમ થતું નથી, તેથી જીવાદિમાં દ્રવ્ય નિક્ષેપો ઘટતો નથી. આમ છતાં બહુધા સર્વત્ર ‘ચાર’ નિક્ષેપા પડે છે તેને સામે રાખીને અનુયોગદ્વારમાં જઘન્યથી ‘ચાર’ નિક્ષેપા કહ્યા છે. તેથી અપેક્ષાએ વિચારીએ તો તે વચનમાં વિરોધ નથી અને શબ્દાર્થ માત્ર ગ્રહણ કરીએ તો તે વચનમાં વિરોધ છે.
||૨૧-૨૨-૨૩-૨૪-૨૫||
૨૪
51121 :
ઈમ બહુવચન નયન્તરે, કોઈ વાચનાભેદ; જિનજી ! ઈમ અર્થે પણ જાણીયે, નવિ ધરીયે મન ખેદ. જિનજી ! ૨૬ ગાથાર્થ ઃ
ઈમ બહુવચન નયન્તરે=ગાથા-૨૧ થી ૨૫ સુધી બતાવ્યું એમ ઘણા વચનો નયાન્તરે છે, તો કોઈક વચનો વાચનાભેદથી છે, ઈમ=આગમ વચનની જેમ, અર્થમાં પણ જાણીએ પરંતુ મનમાં ખેદ ધરીએ નહિ. રિવા ભાવાર્થ :
ગાથા-૨૧ થી ૨૫ સુધી કહ્યું તેમાં ગાથા-૨૧માં કહ્યું કે વીરપ્રભુ પોતાનું સંહરણ જાણતા નહોતા તે અપેક્ષાભેદથી કથન છે, માટે નયાન્તરનું વચન છે. પરંતુ આ પ્રકારના ઘણા વચનો આગમમાં નયાન્તરના ભેદથી છે. તેથી જો શબ્દાર્થથી વિચારીએ તો વિરોધ છે. અપેક્ષાભેદથી વિચારીએ તો કોઈ વિરોધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org