________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૯|ગાથા-૨૧થી ૨૫ ૨૩ આચારાંગસૂત્રમાં કહ્યું છે કે ભગવાનનું સંહરણ થતા ભગવાનને જ્ઞાન છે કે મારું સંકરણ થઈ રહ્યું છે, કેમ કે ભગવાન ત્રણ જ્ઞાનવાળા છે. આ વચનો સાપેક્ષ છે અને એકાંતે ગ્રહણ કરવામાં આવે તો પરસ્પર વિરોધી છે; કેમ કે હરિણીગમિષિની ગર્ભ સંહરણની કુશળતા બતાવવા માટે કલ્પસૂત્રમાં કહ્યું કે ભગવાનને ખબર નહોતી કે મારું સંકરણ થઈ રહ્યું છે. જેમ કોઈ કુશળતાપૂર્વક કાંટો કાઢે ત્યારે કહેવાય છે કે “મને ખબર પણ ન પડી તે રીતે આ પુરુષે કાંટો કાઢ્યો.” વળી, પ્રથમ અંગમાં ભગવાનને ગર્ભ અવસ્થામાં પણ ત્રણ જ્ઞાન છે તેથી તે જ્ઞાનના ઉપયોગથી પોતાના સંહરણને જાણે છે તેમ કહેલ છે. તેથી બંને વચનો શબ્દથી વિરોધી હોવા છતાં અપેક્ષાથી વિરોધી નથી.
વળી, જંબૂઢીપપ્રજ્ઞપ્તિમાં ઋષભકૂટ “આઠ યોજનાના વિસ્તારવાળો કહેલ છે અને જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં પાઠાન્તરે તે ઋષભકૂટ મૂળમાં “બાર' યોજનના વિસ્તારવાળો કહેલ છે. તેનું કારણ એ કે આગમો પુસ્તકારૂઢ થયા તે પૂર્વે તે આગમો પૂર્વના મહાપુરુષોને કંઠસ્થ હતા, લખાણરૂપે ન હતા અને દુષ્કાળ કાળે બધાને વિસ્મૃતિ થવા માંડી ત્યારે બધા આચાર્યોએ ભેગા મળીને તેને લખાવવાનો પ્રારંભ કર્યો તે વખતે જે મહાત્માને જે રીતની ઉપસ્થિતિ હતી તે પ્રમાણે લખાણ કરાયું. તેથી કોઈ મહાત્માને “આઠ યોજનની ઉપસ્થિતિ હતી તો કોઈ અન્ય મહાત્માને “બાર યોજનની ઉપસ્થિતિ હતી માટે જંબૂઢીપપ્રજ્ઞપ્તિમાં તે બન્ને પાઠો ઉપલબ્ધ છે.
વળી, સમવાયાંગસૂત્રમાં મલ્લિનાથ ભગવાનને “પ૭૦૦' મન:પર્યવજ્ઞાની શિષ્યો હતા તેમ કહેલ છે અને જ્ઞાતાધર્મકથામાં ૧૮૦૦મન:પર્યવજ્ઞાની શિષ્યો કહેલ છે એ તો જુદા પ્રકારનું વક્તવ્ય છે. તેથી આગમ રચનામાં તે વખતે જે ઉપસ્થિતિ હતી એ પ્રમાણે વક્તવ્ય ભેદની પ્રાપ્તિ થાય એટલા માત્રથી આગમ અપ્રમાણ થઈ જતા નથી.
વળી, ઉત્તરાધ્યયનસૂત્રમાં કર્મની જઘન્ય સ્થિતિ બતાવતાં વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની કહેલ છે અને પ્રજ્ઞાપના સૂત્રમાં “બાર' મ્હૂર્તની કહેલ છે તેથી એ પ્રકારનું અન્ય વક્તવ્ય પ્રાપ્ત થાય છે તે પણ આગમ લખાણ વખતે ઉપસ્થિતિ ભેદને કારણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org