________________
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-પ
ગાથા :
નૃત્યાદિક અણમાનતા, સૂત્ર વિરાધે દીન; જિનજી !
સૂત્ર-અરથ-તદુભયથકી, પ્રત્યેનીક કહા તીન. જિનજી ! ૫ ગાથાર્થ :
વૃતિ આદિને નહિ માનતા દીન-કલ્યાણનો માર્ગ જેમને જોયો નથી એવા પ્રતિમાલોપક, સૂત્રને આગમને, વિરાધે છે. કેમ સૂત્રને વિરાધે છે તેથી કહે છે. શાસ્ત્રમાં સૂત્ર, અર્થ અને તદુભય થકી તદુભયને આશ્રયીને, ત્રણ પ્રકારના પ્રત્યેનીક કહ્યા છે શાસ્ત્રના ત્રણ પ્રકારના શબુ કહ્યા છે. ITI ભાવાર્થ -
પ્રતિમાલપક આગમને પ્રમાણ માને છે, છતાં આગમ ઉપર રચાયેલી પૂર્વાચાર્યોની વૃત્તિ, ભાષ્ય, ચૂર્ણ વગેરેને પ્રમાણ માનતા નથી; કેમ કે સર્વને પ્રમાણ માને તો વૃત્તિ આદિના બળથી પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થાય છે અને પ્રતિમા પૂજ્ય નથી તેવી સ્થિર બુદ્ધિ હોવાથી સ્થાનકવાસીઓ પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ કરનાર વૃત્તિ વગેરેનો અપલાપ કરે છે. તેઓ ભગવાનના સૂત્રની વિરાધના કરનારા દીન છે અર્થાત્ જેમને કલ્યાણનો માર્ગ જોયો નથી તેવા રાંકડા છે. તેઓ સૂત્રને કેમ વિરાધે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે. શાસ્ત્રકારોએ ત્રણ પ્રકારના આગમ પ્રત્યેનીક કહ્યા છે. (૧) સૂત્રને નહિ માનનારા, (૨) અર્થને નહિ માનનારા, (૩) સૂત્ર-અર્થ ઉભયને નહિ માનનારા.
તેથી આગમના અર્થને કહેનાર એવી વૃત્તિ આદિને નહિ માનનારા સ્થાનકવાસી આગમના પ્રત્યેનીક છે તેમ સિદ્ધ થાય છે અને જે આગમના પ્રત્યેનીક છે તેઓ કલ્યાણનો માર્ગ જોયો નથી તેવા દીન છે. તેથી પ્રતિમા લોપક એવા તે જિનવચનાનુસાર અન્ય તપ, ક્રિયાદિ કરતા હોય તોપણ કલ્યાણને પામી શકે નહિ. પી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org