SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૯|ગાથા-૬ અવતરણિકા - પૂર્વ ગાથામાં કહ્યું કે વૃત્તિઆદિને ન માનવામાં આવે અને સૂત્રને જ માનવામાં આવે તો સૂત્રના વિરાધક થાય. ત્યાં પ્રશ્ન થાય કે અર્થને ન માને તો અર્થના વિરાધક કહી શકાય પણ સૂત્રના વિરાધક કેમ કહ્યા ? તેથી તેઓ સૂત્રના વિરાધક કેવી રીતે છે તે ભગવતીસૂત્રના વચનથી સ્થાપન કરે છે – ગાથા : અક્ષર અર્થ જ એકલો, જો આદરતાં ખેમ; જિનાજી! ભગવઈઅંગે ભાખિયો, ત્રિવિધ અર્થ તો કેમ? જિનજી ! ૬ ગાથાર્થ : અક્ષરનો અર્થ જ=સૂત્રના અક્ષરથી પ્રાપ્ત થતો અર્થ જ, એકલો આદરતા જો એમ થાય કલ્યાણ થાય, તો ભગવતીઅંગમાં ત્રણ પ્રકારનો અર્થ કેમ કહ્યો ? અર્થાત્ ભગવતીસૂત્રનો ત્રણ પ્રકારનો અર્થ સંગત થાય નહિ. IIII. ભાવાર્થ : પ્રતિમાના લોપન કરનાર સ્થાનકવાસી મૂળ આગમસૂત્રને પ્રમાણ માને છે અને સૂત્રના અર્થને કહેનાર નિયુક્તિ, ભાષ્ય આદિને અપ્રમાણ સ્વીકારે છે તેને ગ્રંથકારશ્રી કહે છે કે સૂત્રના અક્ષરથી પ્રાપ્ત થતો એકલો અર્થ આદરવા માત્રથી જ જો કલ્યાણની પ્રાપ્તિ થતી હોય તો ભગવતીસૂત્રમાં સાધુને વાચના વખતે ત્રણ પ્રકારનાં અર્થ કરવાના કહ્યાં છે તે સંગત થાય નહિ અને ભગવતીસૂત્રને સ્થાનકવાસી પણ સ્વીકારે છે. તેથી સૂત્ર ઉપરની વૃત્તિ આદિને ન માને તો સ્થાનકવાસી ભગવતીસૂત્રના વિરાધક બને. ભગવતીસૂત્રમાં જે ત્રણ પ્રકારનો અર્થ કહ્યો છે તે ગ્રંથકારશ્રી સ્વયં આગળની ગાથામાં સ્પષ્ટ કરે છે. III Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy