________________
૧૬૧
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૧૬-૧૭ નયો કહ્યા નથી; કેમ કે સર્વ નય અંતર્ગત શુદ્ધનય પણ પ્રાપ્ત થાય અને અલ્પ પ્રજ્ઞાવાળા જીવો નયોને ઉચિત સ્થાને જોડીને કઈ પ્રવૃત્તિ કરવાથી હિત થાય તેનો નિર્ણય કરી શકે નહિ, તો પ્રશ્ન થાય કે કાલિકશ્રુતમાં શું કહ્યું છે ? કાલિકકૃતમાં નયોને ઉતારવાનું છોડીને ચરણકરણાનુયોગાદિ ચાર અનુયોગના વિભાગો બતાવ્યા છે. જેથી ચરણકરણાનુયોગના સારને પામીને જીવો શુદ્ધવ્યવહારનું સેવન કરી શકે. વળી, કાલિકશ્રુતમાં કહ્યું છે કે કોઈ પ્રાજ્ઞ પુરુષ હોય અને ગુરુ સમર્થ હોય તો પ્રાયઃ પ્રથમના ત્રણ નયો કહેવા જોઈએ પરંતુ સર્વ નયો યોજીને શ્રુતજ્ઞાન આપવું જોઈએ નહિ. “પ્રાયઃ” શબ્દ કહેવાથી એ બતાવેલ છે કે કોઈ અતિપ્રાજ્ઞ હોય અને ગુરુ પણ નયોને ઉચિત સ્થાને જોડી શકે તેમ હોય તો તે ગુરુ તે શ્રોતા આગળ સર્વ નયોનું કથન કરે, જેથી પરિણત શ્રોતાને ભગવાનના વચનોનો સર્વે નયોથી યથાર્થ બોધ થાય અને શ્રોતા સ્વભૂમિકા અનુસાર ઉચિત સ્થાને ઉચિત નયોને જોડીને હિતમાં પ્રવૃત્તિ કરે. તેથી “પ્રાયઃ” શબ્દ દ્વારા નયો ઉતારવાનો સર્વથા નિષેધ નથી પરંતુ બધા શ્રોતા આગળ નયોને ઊતારીને કથન કરવાનો નિષેધ છે. મુખ્યરૂપે ઉચિત વ્યવહારનો બોધ થાય તે રીતે ચરણકરણાનુયોગાદિ ચાર વિભાગોને સામે રાખીને ઉપદેશકે કથન કરવું જોઈએ. આ પ્રમાણે આવશ્યકાદિ કૃત્યોને કહેનારા ગ્રંથોમાં જોઈને ઉપદેશકે તે પ્રમાણે ઉપદેશ આપવો જોઈએ. પરંતુ બોટિકની= દિગંબરની, આ ઊંધી રીતિ છે કે શુદ્ધનાં પ્રથમ કહે છે. આથી જ કુંદકુંદાચાર્યના ‘સમયસારમાં શુદ્ધનયની પ્રરૂપણા પ્રથમ કહેલ છે અને તે ગ્રંથ ભણીને ઘણા યોગ્ય જીવો ભેદલવને પામીને=દેહાદિથી પૃથક એવો શુદ્ધ આત્મા છે અને તેને પ્રગટ કરવા માટે ઉદ્યમ કરવો જોઈએ, તેમ વિચારીને શુદ્ધ વ્યવહારનો ત્યાગ કરે છે, જેથી અતિપરિણત થઈને તેઓ આત્મકલ્યાણ સાધી શકતા નથી. ll૧૬ાા અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે શુદ્ધ વ્યવહાર વગર આત્મકલ્યાણ થાય નહિ. તેથી કાલિકશ્રુતમાં સર્વ નયો બતાવવાનો નિષેધ કર્યો છે. તેથી હવે શુદ્ધ વ્યવહાર ક્યાં પ્રાપ્ત થઈ શકે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org