________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૧૬/ગાથા-૧૫ ૧૫૯ વતીeતે કારણથી, શુદ્ધનય અતિગંભીર છે. ભેદલવ જાણતાં કેઈ= શુદ્ધનયને કહેનારા શાસ્ત્ર વચનથી કે ઉપદેશથી દેહાદિથી પૃથક એવા આત્માના ભેદલવને કેટલાક જાણે છે અને શુદ્ધનયની પ્રાપ્તિના ઉપાયરૂપ માર્ગનો ત્યાગ કરે છે. તેઓને અતિપરિણતિ હોય શુદ્ધનયના વચનની અતિપરિણતિ થાય. તેથી પરસમયની સ્થિતિને ભજે છે શુદ્ધ આત્મામાં જવાના ઉપાયને છોડીને પરભાવમાં જવાની સ્થિતિનો આશ્રય કરે છે. II૧૫ll ભાવાર્થ :
કોઈ મહાત્મા શુદ્ધનયના પરમાર્થને બતાવનાર શાસ્ત્ર વચનોથી શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે તેનો ઉપદેશ આપે. તે ઉપદેશને સાંભળીને કેટલાક અપરિણામતિવાળા જીવો તે શુદ્ધનયના વચનના પરમાર્થને સાંભળીને દેહાદિથી ભિન્ન એવો આત્મા કેવા સ્વરૂપવાળો છે તેનો બોધ કરી શકે નહિ, પણ માત્ર “આત્મા દેહાદિથી ભિન્ન છે” તેટલા જ શબ્દોને ગ્રહણ કરી શકે છે તેવા જીવોને આશ્રયીને શુદ્ધનયનો ઉપદેશ નથી; કેમ કે શુદ્ધનય અતિગંભીર છે. તેથી પ્રાજ્ઞ પુરુષો જ શુદ્ધનયના પરમાર્થના મર્મને જાણી શકે છે. વળી, કેટલાક શ્રોતા શુદ્ધનયના વક્તવ્યને સાંભળીને દેહાદિથી પૃથક્ એવો આત્મા કેવો છે તેના ભેદલેશને જાણે છે પરંતુ યથાર્થ ભેદને જાણતા નથી તેથી અતિપરિણતિવાળા એવા તેઓ શુદ્ધનયની પ્રાપ્તિના ઉપાયભૂત શુદ્ધ વ્યવહારનયને અભિમત ઉચિત ક્રિયારૂપ માર્ગનો ત્યાગ કરે છે. તેથી શુદ્ધનયના ભેદલવને પામીને પણ શુદ્ધનયને અભિમત એવા શુદ્ધ આત્માના સ્વરૂપને પ્રગટ કરવાના ઉચિત ઉપાયોનો ત્યાગ કરીને=શુદ્ધ વ્યવહારનયની આચરણાઓનો ત્યાગ કરીને, પરસમયની સ્થિતિને ભજે છે=આત્માના ભાવથી પર એવા મોહના ભાવોની સ્થિતિનો આશ્રય કરે છે=આત્માના શુદ્ધ સ્વરૂપના ચિંતવનથી જ શુદ્ધ આત્મા પ્રગટ થશે સંયમની આચરણા શુદ્ધ આત્માને પ્રગટ કરવા ઉપયોગી નથી એ પ્રકારના મોહના ભાવોનો આશ્રય કહે છે. તેથી અપરિણતમતિવાળા કે અતિપરિણતમતિવાળા જીવોને શુદ્ધનય ઉપકારક થતો નથી. માટે વિવેકી ઉપદેશક શુદ્ધનયને લક્ષ્ય કરીને ઉચિત ક્રિયાનો ઉપદેશ આપે છે પરંતુ શુદ્ધનયનો ઉપદેશ આપતા નથી. II૧પI
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org