________________
૪
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૩
અવતરણિકા :
વળી, પ્રતિમાના લોપને કરનારા સ્થાનકવાસીની અન્ય કઈ પ્રવૃત્તિઓ અનુચિત છે તે સ્પષ્ટ કરતાં કહે છે
ગાથા :
-
આચરણા તેહની નવી, કેતી કહિયે દેવ ? જિનજી ! નિત્ય તૂટે છે સાંધતાં, ગુરુ વિણ તેહની ટેવ. જિનજી ! ૩ ગાથાર્થ ઃ
તેહની=સૂત્રને માનનારા અને અર્થને નહિ માનનારા એવા પ્રતિમા લોપકની, નવી આચરણા=શાસ્ત્ર વિરુદ્ધ આચરણા, હે દેવ ! કેટલી કહીએ અર્થાત્ ઘણી છે. પોતાના કથનને સાંધતાં નિત્ય ખુટે છે=સ્થાનકવાસી પ્રતિમા પૂજ્ય નથી તે અર્થ સૂત્રથી સિદ્ધ કરવા માટે જે સ્થાને વિરોધ પ્રાપ્ત થાય છે તે સ્થાને તે સૂત્રનો પરિહાર કરીને પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ ન થાય તે રીતે સૂત્રનો અર્થ કરે છે અને તેમ કરીને પોતાને અભિમત અર્થ સાંધે છે. છતાં તેમ સાંધતાં નિત્ય તુટે છે=અન્ય અન્ય સ્થાને સૂત્રનો વિરોધ પ્રાપ્ત થાય છે. ગુરુ વગરની તેમની આ ટેવ છે=સ્વમતિ અનુસાર શાસ્ત્ર જોડવાની ટેવ છે. II3II
ભાવાર્થ:
Jain Education International
સ્થાનકવાસી પ્રતિમાનો લોપ કરીને સ્વમતિ કલ્પનાથી અન્ય પણ તેવી નવી નવી ઘણી આચરણાઓ કરે છે તે બધાનું કેટલું વર્ણન કરીએ ? એમ કહીને શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા પ્રતિમા લોપક છે તેમ ગ્રંથકારશ્રી બતાવે છે. વળી, પ્રતિમા પૂજ્ય નથી તે સિદ્ધ કરવા માટે પોતે જે સૂત્રો સ્વીકારે છે તેને સાંધવા માટે અર્થાત્ સંગત ક૨વા માટે તેઓ યત્ન કરે છે, તોપણ તે યત્નથી અર્થ કરવામાં તેમને અનેક દોષો હંમેશા ઉપસ્થિત થાય છે તેથી તેમના કથનો નિત્ય તૂટે છે અર્થાત્ શબ્દબોધની મર્યાદા પ્રમાણે સૂત્રમાંથી તે અર્થ નીકળી શકતા નથી તેમ સ્પષ્ટ થાય છે. વળી, સૂત્રના ૫૨માર્થને જાણનારા એવા ગુરુને સ્વીકાર્યા વગર પોતાની મતિ અનુસાર અર્થો કરવાની પ્રતિમાલોપકને ટેવ પડેલ છે. જેથી અયથાર્થ રીતે શાસ્ત્રના અર્થો કરે છે. II3||
For Personal & Private Use Only
www.jainelibrary.org