________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૯-૧૦ ભાવાર્થ :
ગાથા-૧માં કહેલ કે ભગવાનના નિર્મળ દ્રવ્ય-ગુણ-પર્યાયો છે તેનું ધ્યાન કરીએ, જેથી આપણો આત્મા પ્રગટ પ્રાપ્ત થાય. ત્યારપછી તે શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે તે બતાવવા માટે સંસારી જીવોની શામળી અવસ્થા કેવી છે તે બતાવ્યું અને આત્મા શુદ્ધ પરિણામરૂપ છે તેમ બતાવ્યું. વળી, તે આત્માનો શુદ્ધ પરિણામ અકલ અને અલખ છે તેમ બતાવ્યું. એવા આત્માનું ધ્યાન કરવામાં આવે તો પરમાત્માની સાથે સમાપત્તિ થાય અને પરમાત્માની સાથે સમાપત્તિ સર્વ પાપોના નાશ માટેનું ઔષધ છે તેથી શક્તિના પ્રકર્ષથી તેવા આત્માનું ધ્યાન કરવું જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે આત્માનું શુદ્ધ સ્વરૂપ અકલ અને અલખ છે તેથી તેનું ધ્યાન કઈ રીતે થઈ શકે તેથી કહે છે.
શાસ્ત્રમાં દ્રવ્યાનુયોગને કહેનારા વચનો છે તેનાથી સૂક્ષ્મ બોધ કરીને જે યોગી દ્રવ્યાનુયોગનું ચિંતવન કરે છે તેઓ દ્રવ્યાનુયોગના બળથી ક્ષપકશ્રેણી ઉપર ચઢી શકે છે. તેથી દ્રવ્યાનુયોગના બળથી પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ કંઈક પ્રાપ્ત થાય છે.
૧૫૧
વળી, ‘સંમતિતર્ક’ વગેરે ગ્રંથમાં પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન પ્રાપ્ત થાય છે; કેમ કે સંમતિતર્ક વગેરે ગ્રંથમાં દ્રવ્યાનુયોગનો વિષય છે. તેથી તેવા ગ્રંથોથી પરમાત્માનું કંઈક સ્વરૂપ જાણીને તે સ્વરૂપ પ્રત્યે ભક્તિ કરવામાં આવે, સંસારના ભાવો પ્રત્યે વૈરાગ્ય ધારણ કરવામાં આવે અને દ્રવ્યાનુયોગના જ્ઞાનને ધારણ કરવામાં આવે તો તેનાથી ક્રમે કરીને શુદ્ધ આત્માના સ્વરૂપનું ધ્યાન પ્રગટે અને તે ધ્યાન પ્રકર્ષવાળું થાય તો ૫૨માત્માની સાથે એકતાની પ્રાપ્તિરૂપ સમાપત્તિ પ્રાપ્ત થાય જેનાથી આત્મા પર લાગેલા જ્ઞાનાવરણીયાદિ સર્વ પાપો નાશ પામે છે. માટે શુદ્ધ આત્માનું ધ્યાન કરવું જોઈએ. IIII અવતરણિકા :
પૂર્વ ગાથામાં કહ્યું કે શુદ્ધતયથી પરમાત્માનું ધ્યાન કરવાથી પરમાત્માની સાથે સમાપત્તિ થાય છે, જેથી સર્વ પાપ કર્મો નાશ પામે છે. હવે જે મહાત્માઓ ધ્યાનની ભૂમિકાને પામ્યા નથી તેઓને પણ શુદ્ધનયનો બોધ કઈ રીતે ઉપકારક છે તે સ્પષ્ટ કરે છે
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org