SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૬/ગાથા-૯ અવતરણિકા : ગાથા-૧માં કહેલ કે હે સીમંધરસ્વામી ભગવાન ! તમારું અમે ધ્યાન કરીએ, જેથી અમારો શૂદ્ધ આત્મા પ્રગટ થાય. ત્યાર પછી ગાથા-૨માં આત્મા શામળી અવસ્થાવાળી ચેતનાની “ચાર દશારૂપ છે તેમ બતાવ્યું, અને ત્યારપછી તે સર્વ અવસ્થા ભ્રમાત્મક છે. પરમાર્થથી આત્મા શુદ્ધ પરિણામને કરનારો છે અથવા શુદ્ધ પરિણામ રૂપ છે તેમ સ્પષ્ટ કર્યું. હવે તે શુદ્ધ પરિણામવાળા સીમંધરસ્વામી ભગવાનનું ધ્યાન કરવાથી શું પ્રાપ્ત થાય છે તે બતાવે છે – ગાથા : શુદ્ધતા ધ્યાન ઈમ નિશ્ચયેં આપનું, તુઝ સમાપત્તિ ઔષધ સકલ પાપનું; દ્રવ્ય અનુયોગ સંમતિ પ્રમુખથી લહી, ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન ધરિયે સહી. ૯ ગાથાર્ચ - ઈમ આ રીતે પૂર્વમાં શુદ્ધનયનું સ્વરૂપ બતાવ્યું એ રીતે, નિશ્ચયથી આપની શુદ્ધતાનું ધ્યાન સીમંધરસ્વામીની શુદ્ધતાનું ધ્યાન, તુજ સમાપતિરૂપ પરમાત્માની સાથે સમાપતિરૂપ, સકલ પાપનું ઔષધ છે. અહીં પ્રશ્ન થાય કે પરમાત્માની શુદ્ધ અવસ્થાનો બોધ થવો દુષ્કર છે અને તેના વાચક કોઈ પદો નથી તેથી શુદ્ધ આત્માનું સ્વરૂપ અકલ અને અલખ છે એમ પૂર્વ ગાથામાં કહ્યું તેથી તેવા આત્માનું ધ્યાન કરવા માટે કઈ રીતે પ્રયત્ન થઈ શકે માટે કહે છે – દ્રવ્યાનુયોગ, સંમતિતર્ક વગેરે શાસ્ત્રોથી શુદ્ધ આત્માનું સ્વરૂપ કંઈક પ્રાપ્ત કરીને, તે શુદ્ધ આત્મા પ્રત્યે ભક્તિ અને સંસારના ભાવો પ્રત્યે વૈરાગ્ય અને મૃત વચનાનુસાર પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ધારણ કરીએ, જેથી ક્રમે કરીને ધ્યાન પ્રગટ થાય જે ધ્યાન ભગવાનની સાથે સમાપતિરૂપ છે અને સકલ પાપનું ઔષધ છે એમ શ્લોકના પૂર્વાર્ધ સાથે સંબંધ છે. II૯II. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy