________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૪-૫
૧૪૩
પરિણમન પામે છે અને જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય બે જુદા-જુદા દ્રવ્ય છે તેઓ ક્યારેય એક થઈ શકે નહિ પરંતુ સંસાર અવસ્થામાં પણ કર્મ પુદ્ગલ કર્મરૂપે રહેલા છે, દેહના પુદ્ગલો દેહરૂપે રહેલા છે અને આત્મા પોતાની ચેતના સ્વરૂપે રહેલો છે. અને ગાથા-૨માં કહેલી ચારેય દશા પુદ્ગલરૂપે પણ સંગત નથી અને આત્મારૂપે પણ સંગત નથી તેથી ભ્રમાત્મક દશા છે માટે જીવનું વાસ્તવિક સ્વરૂપ નથી. II૪
અવતરણિકા :
અહીં પ્રશ્ન થાય કે તો આ “ચાર દશા”નું વર્ણન શાસ્ત્રમાં વ્યવહારનયથી કેમ કરાયેલું છે ? તેથી હવે વ્યવહારનયનું તે વચન શુદ્ધનયની દૃષ્ટિથી ઔપચારિક છે, પરંતુ વાસ્તવિક નથી અને તેને જે વાસ્તવિક ગણે તે મૂઢ છે તે બતાવવાં અર્થે કહે છે
ગાથા :
-
પંથીજન લૂંટતાં ચોરને જિમ ભણે, વાટ કો લૂંટીઈ તિમ જ મૂઢો ગિણે; એકક્ષેત્રે મિલ્યા અણુતણી દેખતો, વિકૃતિ એ જીવની પ્રકૃતિ ઊવેખતો. ૫
ગાથાર્થ ઃ
પંથીજનને લૂંટતા એવા ચોરને જેમ કોઈ કહે કે વાટ કો લૂંટીએ=કોઈ માર્ગ લૂંટે છે, તિમજ=તેની જેમ, મૂઢà=મૂઢ પુરુષ, ગણે મૂઢ પુરુષ શું ગણે એ સ્પષ્ટ કરે છે. એકક્ષેત્રમાં અણુતણુની જેમ મળેલા જોતો, જીવની એ વિકૃતિને જીવની પ્રકૃતિરૂપે, ઉવેખતો=માને છે. IIII
ભાવાર્થ :
કોઈ ચોર પંથીજનને લૂંટતા હોય તેને જોઈને કોઈ કહે કે આ વાટ લોકોને લૂંટે છે. વસ્તુતઃ વાટ લૂંટતી નથી ચોર લૂંટે છે તેથી વાટ લૂંટે છે એ પ્રયોગ ઉપચારથી છે, પરમાર્થથી નથી. તેમ આત્માની આ ‘ચાર અવસ્થા’ ઉપચારથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org