SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૨-૩ અપ્રમાદભાવથી યત્ન કરે છે તેવા સુસંયત સાધુઓની “જાગરણ દશા” છે. આ ત્રીજા પ્રકારની જીવની ઘણી શુદ્ધિવાળી મલીન અવસ્થા છે. (૪) ચોથીદશારૂપ તેરમું અને ચૌદમું ગુણસ્થાનક ઃ જે મહાત્માઓએ જાગરણ દશા પ્રાપ્ત કરીને અપ્રમાદભાવથી મોહનું ઉન્મૂલન કરવા ઉદ્યમ કર્યો છે તેવા મહાત્માઓ મોહનો નાશ કરીને કેવળજ્ઞાન પામે છે ત્યારે તેરમે અને ચૌદમે ૧૪૦ ગુણસ્થાનકે ચોથી દશાને પામે છે. આ “ચોથી દશા” પણ ભવની શામળી દશા છે. જીવની ઘણી શુદ્ધિવાળી પણ કંઈક મલિનતાવાળી આ ચોથી અવસ્થા છે. આ ચાર દશાનું વર્ણન=ચેતનાની ચાર દશાનું વર્ણન, નયચનામના ગ્રંથમાં કરેલું છે. ||ચા અવતરણિકા : ગાથા-૨માં જીવતી ‘ચાર’ પ્રકારની શામળી ચેતના છે તે બતાવી. હવે શુદ્ધનયની દૃષ્ટિથી તે ‘ચાર’ અવસ્થા પારમાર્થિકી નથી, તે બતાવવા અર્થે કહે છે – 21121 : ભાવસંયોગજા કર્મઉદયાગતા, કર્મ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતાં; ખડીયથી ભિત્તિમાં જિમ હોએ શ્વેતતા; ભિત્તિ નવિ ખડીય નવિ તેહ ભ્રમસંગતા. ૩ ગાથાર્થ ઃ ભાવસંયોગજા=ભાવના સંયોગથી થનારી–ચૈતન્યના પરિણામરૂપ ભાવના સંયોગથી થનારી, કર્મઉદયાગતા=કર્મના ઉદયથી આવેલી, પૂર્વ ગાથામાં બતાવેલ ચેતનાની ‘ચાર દશા' છે. આ ‘ચાર દશા’ નિશ્ચયનયથી અવાસ્તવિક કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે - કર્મ નવિ=આ ‘ચાર દશા’ કર્મ નથી, જીવ નવિ=આ ‘ચાર દશા’ જીવ નથી. મૂલ તે નવિ છતા=મૂળથી તે ‘ચાર દશા' નથી અર્થાત્ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy