________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૬/ગાથા-૨-૩ અપ્રમાદભાવથી યત્ન કરે છે તેવા સુસંયત સાધુઓની “જાગરણ દશા” છે. આ ત્રીજા પ્રકારની જીવની ઘણી શુદ્ધિવાળી મલીન અવસ્થા છે.
(૪) ચોથીદશારૂપ તેરમું અને ચૌદમું ગુણસ્થાનક ઃ જે મહાત્માઓએ જાગરણ દશા પ્રાપ્ત કરીને અપ્રમાદભાવથી મોહનું ઉન્મૂલન કરવા ઉદ્યમ કર્યો છે તેવા મહાત્માઓ મોહનો નાશ કરીને કેવળજ્ઞાન પામે છે ત્યારે તેરમે અને ચૌદમે
૧૪૦
ગુણસ્થાનકે ચોથી દશાને પામે છે. આ “ચોથી દશા” પણ ભવની શામળી દશા છે. જીવની ઘણી શુદ્ધિવાળી પણ કંઈક મલિનતાવાળી આ ચોથી અવસ્થા છે. આ ચાર દશાનું વર્ણન=ચેતનાની ચાર દશાનું વર્ણન, નયચનામના ગ્રંથમાં કરેલું છે. ||ચા
અવતરણિકા :
ગાથા-૨માં જીવતી ‘ચાર’ પ્રકારની શામળી ચેતના છે તે બતાવી. હવે શુદ્ધનયની દૃષ્ટિથી તે ‘ચાર’ અવસ્થા પારમાર્થિકી નથી, તે બતાવવા અર્થે કહે છે –
21121 :
ભાવસંયોગજા કર્મઉદયાગતા,
કર્મ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતાં; ખડીયથી ભિત્તિમાં જિમ હોએ શ્વેતતા;
ભિત્તિ નવિ ખડીય નવિ તેહ ભ્રમસંગતા. ૩
ગાથાર્થ ઃ
ભાવસંયોગજા=ભાવના સંયોગથી થનારી–ચૈતન્યના પરિણામરૂપ ભાવના સંયોગથી થનારી, કર્મઉદયાગતા=કર્મના ઉદયથી આવેલી, પૂર્વ ગાથામાં બતાવેલ ચેતનાની ‘ચાર દશા' છે.
આ ‘ચાર દશા’ નિશ્ચયનયથી અવાસ્તવિક કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે
-
કર્મ નવિ=આ ‘ચાર દશા’ કર્મ નથી, જીવ નવિ=આ ‘ચાર દશા’ જીવ નથી. મૂલ તે નવિ છતા=મૂળથી તે ‘ચાર દશા' નથી અર્થાત્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org