________________
૧૩૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૫/ગાથા-૨૦-૨૧ ગાથાર્થ :
પોતાના ગણનો સંચય કરે છે પોતાનો શિષ્ય સમુદાય વધારે છે, મન ખચકાતું નથી અર્થાત્ આ શિષ્યો સંયમ ગ્રહણ કરીને આ રીતે જીવશે તો સંસારનો ઉચ્છેદ થશે નહિ એ પ્રકારે મન ખચકાતું નથી, ગ્રંથને ભણીને લોકોને ગે છે શાઓ ભણીને શુદ્ધ પ્રરૂપણા કર્યા વગર આ મહાત્મા વિદ્વાન છે તેવી ખ્યાતિ મેળવીને, શાસ્ત્રોના યથાતથા અર્થ કરીને લોકોને ગે છે, કેશનો લોય કરે પણ માયાને મૂકતા નથી પોતાના બાહ્ય ત્યાગ દ્વારા લોકો આગળ પોતે ત્યાગી છે તેમ માયાપૂર્વક બતાવે છે, તેવા સાધુમાં પાંચેય મહાવત રહેતા નથી. lol ભાવાર્થ :
જેઓ સાધુવેશમાં છે. આમ છતાં શત્રુ-મિત્ર, સુખ-દુ:ખ, જીવન-મૃત્યુ પ્રત્યે સમભાવવાળા નથી અને સમભાવના અત્યંત પક્ષપાતી પણ નથી. આથી જ શુદ્ધ પ્રરૂપણા ગુણને ધારણ કરતા નથી પરંતુ પોતાના બાહ્ય આચારોથી જ પોતે સાધુ છે તેવી મતિ ધારણ કરે છે. વળી, ઉપદેશ આપીને શિષ્યનો સંચય કરે છે અને તે શિષ્યોને શુદ્ધમાર્ગ બતાવતા નથી તેથી તેઓ સંયમ લઈને વિનાશને પામશે તે જોઈને મન ખચકાતું પણ નથી. પરંતુ શિષ્ય પરિવારની વૃદ્ધિને જોઈને પોતે હર્ષિત રહે છે. વળી, તેઓ શાસ્ત્રો ભણીને સ્વમતિ અનુસાર અર્થો કરે છે અને લોકોને ઠગે છે. વળી, કેશનો લોચ કરે છે અર્થાત્ સંયમની અન્ય પણ કષ્ટકારી આચરણા કરે છે પરંતુ માયાને મૂકતા નથી=પોતે સાધુના ગુણને ધારણ કરનારા નથી છતાં પોતે સુસાધુ છે તેમ માનીને માયાને મૂકતા નથી, તેઓ સંયમની બાહ્ય આચરણ કરતા હોય તોપણ તેઓમાં પાંચેય મહાવ્રત રહેતા નથી. ૨૦મી
ગાથા :
યોગગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે; ફોકટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાસે. ધન. ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org