________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૫/ગાથા-૧૯-૨૦ ૧૩૧ ગાથાર્થ :
જે મુનિ મોટાઈમાં રાચે છે લોકો આગળ અમે વિદ્વાન છીએ ઈત્યાદિ ભાવો કરીને માન-સન્માનમાં હર્ષિત થાય છે, ડાકડમાલા ચલવે ગર્વથી ફૂલાઈને ચાલે, શુદ્ધપ્રરૂપક ગુણ વગર પોતાનામાં ભાવસાધુપણું નથી અને ભાવસાધુ કેવા હોય તેના પારમાર્થિક સ્વરૂપને બતાવનાર માર્ગાનુસારી ઉપદેશરૂપ શુદ્ધપ્રરૂપક ગુણ વગર, તેની ભવઅરહટમાલાભવરૂપી અરહટની પરંપરા, ઘટે નહિ. TI૧૯II ભાવાર્થ -
પૂર્વગાથામાં કહ્યું કે પોતાની શક્તિનો વિચાર કર્યા વગર જેઓ સંયમ ગ્રહણ કરે છે તેઓ પડતા દેખાય છે. આવા સાધુ નિર્લેપતાને અનુકૂળ ચિત્તની ભૂમિકાવાળા નથી અને સાધુવેશ લીધા પછી તેઓના કષાયો તેમની ભૂમિકા અનુસાર કોઈક પ્રવૃત્તિમાં ગોઠવાય છે. તેથી લોકોથી પોતે પૂજાતા હોય ત્યારે પોતાની મોટાઈમાં આનંદ લેનારા બને છે. વળી, માન સન્માન મળવાને કારણે ડોલતા-ડોલતા ચાલતા હોય છે. પરંતુ પોતે સાધુના ગુણને ધરાવનાર નથી, એટલું જ નહીં પણ સુસાધુ કેવા હોય છે તેના પારમાર્થિક સ્વરૂપને બતાવનાર એવી શુદ્ધ પ્રરૂપણારૂપ ગુણને પણ ધારણ કરતા નથી. તેથી તેઓની સંયમની બાહ્ય ક્રિયાથી ભવના પરિભ્રમણરૂપ અરઘટઘટ્ટી યંત્રની માલા ઘટતી નથી પરંતુ અખ્ખલિત પ્રવાહરૂપે ભવભ્રમણ ચાલુ રહે છે અર્થાત્ તેઓની સંયમની આચરણા સંસારના પરિભ્રમણના ફળવાળી છે. I/૧૯i
અવતરણિકા :
હવે, ગાથા-૨૦થી ૨૩ સુધી સાધુવેશધારી કેવા પ્રકારના છે તે અન્ય પ્રકારે બતાવે છે –
ગાથા :
નિજ ગણ સંચે મન નવિ પંચે, ગ્રંથ ભણી જન વંચે; લુંચે કેશ ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે. ધન. ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org