SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૫/ગાથા-૧૬ ગાથાર્થ - ક્રિયાનયથી પણ એક બાળ એવા તે સંવિજ્ઞપાક્ષિક સાધુ, જેઓ સાધુના લિંગવાળા હોવા છતાં મુનિના રાગી છે અને જેમનું મન જ્ઞાનયોગમાં વર્તે છે તેમની ક્રિયા સૌભાગ્યવાળી છે પરિપૂર્ણ શાસ્ત્રાનુસારી નહિ હોવા છતાં શાસ્ત્રાનુસારી ક્રિયા કરવાના અર્થી હોવાથી તેઓની ક્રિયા સુંદર છે. II૧૬ll ભાવાર્થ - - સંવિજ્ઞપાક્ષિક સાધુ સાધુવેશમાં હોવા છતાં સંયમની ધુરા યથાર્થ વહન કરી શકતા નથી તોપણ સ્વશક્તિ અનુસાર સંયમની ક્રિયા કરે છે. પરંતુ તેઓની સંયમની ક્રિયા સમ્યજ્ઞાનથી નિયંત્રિત નથી. તેથી તેઓ ક્રિયાનયથી=ક્રિયાને જોનારી દૃષ્ટિથી, બાળ છે તોપણ સમ્યગૂ ક્રિયા કરનારા મુનિ પ્રત્યે રાગવાળા છે અને જેમ મુનિ સમ્યગુ ક્રિયા કરીને તે ક્રિયાથી નિષ્પાદ્ય એવા જ્ઞાનયોગમાં યત્ન કરે છે તેમ સંવિજ્ઞપાક્ષિક તે ક્રિયાથી નિષ્પાદ્ય જ્ઞાનયોગમાં યત્ન કરી શકતા નથી, તોપણ મુનિભાવની સમ્યમ્ ક્રિયા દ્વારા મારે જ્ઞાનયોગ પ્રગટ કરવો છે તે પ્રકારના પરિણામમાં તેનું મન વર્તે છે, તેથી તેઓની ક્રિયા સૌભાગ્યવાળી છે અર્થાત્ સંવિજ્ઞપાક્ષિકની ક્રિયા સમ્યક્ ક્રિયા કરનારા મુનિની ક્રિયા જેવી જ્ઞાનયોગની નિષ્પત્તિનું કારણ નથી છતાં પ્રધાનદ્રવ્યક્રિયા હોવાથી જ્ઞાનયોગની નિષ્પત્તિનું કારણ બનશે, માટે સુંદર છે. અહીં વિશેષ એ છે કે ક્રિયાનય એટલે શાસ્ત્રાનુસારી ક્રિયાને જોનારી દૃષ્ટિ, જ્ઞાનનય એટલે સમ્યમ્ ક્રિયાને માટે ઉપયોગી યથાર્થ જ્ઞાનને જોનારી દૃષ્ટિ, ક્રિયાયોગ એટલે શાસ્ત્રાનુસારી કરાતી ક્રિયા, જ્ઞાનયોગ એટલે શાસ્ત્રાનુસારી ક્રિયાથી નિષ્પાદ્ય એવી જીવની પરિણતિ. સંવિજ્ઞપાક્ષિક સમ્યજ્ઞાનવાળા છે તેથી જ્ઞાનયથી બાળ નથી, સંયમના વેશમાં હોવાથી સંયમની ક્રિયા કરે છે પરંતુ સંયમની ક્રિયાથી નિષ્પાદ્ય એવા જ્ઞાનયોગને પ્રગટ કરી શકતા નથી છતાં જ્ઞાનયોગને પ્રગટ કરવાના અભિલાષવાળા છે માટે તેઓની ક્રિયા પ્રધાનદ્રવ્યક્રિયા છે. વળી, જે મુનિ ગીતાર્થ નથી તે મુનિ સંવિજ્ઞપાક્ષિકની નિશ્રાના બળથી તેમના સમ્યજ્ઞાનથી નિયંત્રિત ક્રિયા કરે છે તેથી તે મુનિની ક્રિયા જ્ઞાનયોગની નિષ્પત્તિનું કારણ છે માટે અગીતાર્થ મુનિ પણ ક્રિયાનયથી બાળ નથી. II૧૬ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy